ધારીનાં ગળધરા ખોડિયાર મંદિરે જતો માર્ગ બિસ્માર, સમારકામ કરવા માંગ.

ધારીમાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બિસ્માર બન્યા છે. અહી ખોડિયાર મંદિરે જતો રસ્તો પણ છેલ્લા કેટલાક સમયથી ખખડધજ હાલતમાં છે. ઉપરાંત ગોપાલગ્રામથી સરંભડા સુધીના રોડ પર તો સમમોટા ખાડા પડી ગયા છે. બંને સાઈડોનું ધોવાણ થયું છે. જેના કારણે રાહદારીઓને હાડમારી વેઠવી પડે છે. ધારી પંથકમાં બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવા લોક માંગણી ઉઠી છે. અમરેલી જિલ્લામાં […]

Continue Reading

બગસરા શાળા નંબર 4માં 300 બાળકોને દિવ્ય વનસ્પતિનું વિતરણ કરવામાં આવ્યું.

વર્તમાન સમયમા વિદ્યાર્થીઓને ભારતની દિવ્ય વનસ્પતિઓથી પરિચય કરવાના હેતુથી બગસરાની શાળા નં-4મા સજીવન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા 300 બાળકોને દિવ્ય વનસ્પતિનુ વિતરણ કરવામા આવ્યું હતુ. શાળા નં-4 ખાતે સજીવન ફાઉન્ડેશનના સહયોગથી બાળકોને દિવ્ય વનસ્પતિઓના પરિચય હેતુથી સુગંધી વાળો વનસ્પતિનુ વિતરણ કરવામા આવ્યું હતુ. ઉનાળાના સમયમા બાળકોને થતા ઋતુજન્ય રોગો જેવા કે લુ લાગવી, એસીડીટી, ગરમીથી આવતો […]

Continue Reading

આરોગ્ય મેળા હેઠળ અરજદારોને યુનિક અને આયુષ્માન કાર્ડ કાઢી અપાયા.

અમરેલી જિલ્લામાં આજે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આરોગ્ય મેળો યોજાયો હતો. અહી દરેક તાલુકામાં અરજદારોને યુનિક કાર્ડ અને આયુષ્માન કાર્ડ કાઢી અપાયા હતા. ઉપરાંત લોકોના આરોગ્યની ચકાસણી પણ કરાઈ હતી. અમરેલીમાં રામજી મંદિર પાસે આરોગ્ય મેળો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. અમરેલીના તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર.કે. સિંહાએ જણાવ્યું હતું […]

Continue Reading

રાજુલાના સમઢીયાળામાંથી કોન્ટ્રાક્ટર દ્વારા નેશનલ હાઇવેના કામ માટે માટી લઈ જવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો.

અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના સમઢીયાળા ગામની જમીનમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા નેશનલ હાઈવેના કામ માટે માટી ઉપાડતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ વિરોધ કરી હાલ આ કામ અટકાવ્યું છે. માટી ઉપાડ્યા બાદ મસમોટા ખાડા પડી જતા તેમાં પાણી ભરાઈ જવાના કારણે અકસ્માતનો ભય રહે છે. જેને લઈ ગ્રામજનોએ વિરોધ નોંધાવી તંત્ર દ્વારા તાત્કાલીક માટી ઉપાડવાનું […]

Continue Reading

અમરેલીમાં બળબળતા તાપમાં પારો 42.4 ડિગ્રી પહોચ્યો, બપોરે માર્ગો બન્યા સુમસામ.

અમરેલી પંથકમા આજે તાપમાનનો પારો 42.4 ડિગ્રી સુધી આંબી જતા કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતા. અહી પાછલા કેટલાક સમયથી તાપમાન સતત 40 ડિગ્રીને પાર જ રહે છે. જેના કારણે આકરો તાપ પડી રહ્યો છે. બે દિવસ પહેલા હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરાઇ હતી. તેની વચ્ચે આજે અમરેલીમા તાપમાનનો પારો ઉંચકાઇને 42.4 ડિગ્રી […]

Continue Reading

ખાંભામાં રામનવમી પર્વે 1 કિમી લાંબી શોભાયાત્રા નિકળી, ઠેરઠેર શોભાયાત્રાનુ ફુલડે વધાવી સ્વાગત કરાયુ.

ખાંભામા રામનવમી પર્વની ભાવભેર ઉજવણી કરવામા આવી હતી. શણગારેલા ટ્રેકટરો અને બાળકોની વેશભુષા તેમજ હિન્દુ સેનાના સભ્યોએ એક સરખા ટીશર્ટ પહેરી શોભાયાત્રામા જોડાયા હતા. ઠેરઠેર શોભાયાત્રાનુ ફુલડે વધાવી સ્વાગત કરાયુ હતુ. ખાંભામા કોરાનાના બે વર્ષ બાદ ગઇકાલે રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. અહીના સહજાનંદ ગુરૂકુળથી શોભાયાત્રાનુ પ્રસ્થાન કરાયુ હતુ. ભગવાન શ્રીરામની શોભાયાત્રા ગાંધીચોક, […]

Continue Reading

અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 12.50 કરોડના 568 વિકાસ કાર્યાે મંજુર થયા.

અમરેલી ક્લેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી આર. સી. મકવાણાની અધ્યક્ષતામાં અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં આયોજન હેઠળના કામો સમયબદ્ધ રીતે ગુણવત્તાયુક્ત અને જનસુવિધાલક્ષી થાય તે જોવા પ્રભારીમંત્રીએ અમલીકરણ અધિકારીઓને અનુરોધ કર્યો હતો. અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આયોજન […]

Continue Reading

નવી પેન્શન યોજનાને સ્થાને જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ.

રાજ્યમાં નવી પેન્શન યોજનાને સ્થાને જુની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે અમરેલી જિલ્લા પંચાયત રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શનના સંયુક્ત મોરચા તથા રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન સ્થાપન સંયુક્ત મોરચાએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં જણાવાયું હતું કે બંધારણની સાતમી અનુસુતિ હેઠળ રાજ્યના વિષયમાં 42માં સ્થાને રાજ્ય દ્વારા ચુકવવામાં આવતા તેમજ એકીકૃત ભંડોળમાંથી ચુકવવામાં આવતા પેન્શનએ રાજ્ય […]

Continue Reading

સાવરકુંડલાના હાથસણી ગામે શેલદેદુમલ ડેમમાં પાણી હોવા છતાં કેનાલો ખાલીખમ.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામે શેલદેદુમલ ડેમ 20 વર્ષ પહેલાં બાંધવામાં આવ્યો હતો. આ ડેમમાંથી 7 ગામના ખેડૂતોને સિંચાઈના પાણી મળી રહે તે માટે કેનાલો બનાવી આપવામાં આવી હતી. શેલદેદુમલ ડેમ વરસાદી પાણીથી ભરપૂર ભરાય છે, પરંતુ ઉનાળાના સમયમાં પણ આજદિન સુધી આ કેનાલોમાં ખેડૂતોને સિંચાઈ પાણી આપવામાં આવ્યું નથી. આ કેનાલો દ્વારા પાણી […]

Continue Reading

રાજુલામાં આરોગ્ય વિભાગના કર્મીઓએ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરી.

જિલ્લામાં 1 થી 15 એપ્રીલ સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરાશે. જે અંતર્ગત રાજુલાના આરોગ્ય વિભાગ હેઠળના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટર અને ગ્રામ્યકક્ષાએ સ્વચ્છતાના આરોગ્ય કર્મીઓ અને લોકોએ શપથ લીધા હતા. અને સ્વચ્છતા અંગે કામગીરીની આરંભ કરાયો હતો.રાજુલા તાલુકા હેલ્થ ઓફિસરએ જણાવ્યું હતું કે પખવાડિયાની ઉજવણી દરમિયાન દરેક ગામે સ્વચ્છતા સભાઓ કરાશે. અહી હાથ ધોવાની […]

Continue Reading