કેનાલમાંથી પાણી છોડાતાં ભર ઉનાળે કનેવાલ તળાવમાં નવા નીર.

ખંભાત તાલુકાના રેલ ગામથી 5 કિમી દૂર સદીઓ જૂનું કુદરતી રીતે નિર્માણ પામેલું કનેવાલ તળાવ આવેલ છે. 13 કિમીના ઘેરાવામાં ફેલાયેલાં તળાવ વચ્ચે ત્રણ ટાપુ આવેલા છે. કનેવાલ તળાવમાંથી ખંભાત સહિત તાલુકાના રેલ, ઇશનપુર, વરસડા, વલ્લી, ખાખસર, પાદરા, તારાપુર, ઇસરવાડા, ટોલ, મહિયારી, ઇશનપુર, ખાનપુર સહિતન 54 ગામોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. કનેવાલ તળાવમાં […]

Continue Reading

ખેડા જિલ્લામાં 30 કિમીની ઝડપે પવન ફુંકાવવાની સાથે વરસાદના છાંટા પડયાં.

હવામાન વિભાગની આગાહીના પગલે ખેડા જિલ્લામાં ગત્ રોજ રાત્રેે કમોસમી વરસાદના અમીછાંટણા થયા હતા. ૨૦ થી ૩૦ કિમીની ઝડપે ફુંકાતા પવનને કારણે વાતાવરણ ઠંડુગાર બન્યુ હતું. વહેલી સવારે જીલ્લાવાસીઓએ ઉનાળાની ઋતુમાં ઠંડીનો અનુભવ કર્યો હતો. આજે પણ વહેલી સવારથી જિલ્લામાં આકાશમાં વાદળો ઘેરાયેલા જ જોવા મળ્યા હતા. આખો દિવસ વાદળો અને સુરજદાદા વચ્ચે સંતાકૂકડી રમાતી […]

Continue Reading

ચરોતરમાં માવઠું, 1.10 લાખ હેક્ટરમાં ઉભેલાં ઉનાળું પાક પર તોળાતું જોખમ.

આણંદ-ખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. બુધવાર રાત્રે અને ગુરૂવાર સવારે ખેડા જિલ્લાના કેટલાંક તાલુકામાં સામાન્ય માવઠું અને આણંદ જિલ્લામાં હળવા છાંટા વરસ્યા હતા. જેના કારણે ચરોતરમાં 1.10 લાખ હેક્ટરમાં ઉનાળું પાક પર જોખમ ઉભું થતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. ચરોતરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. […]

Continue Reading

આણંદ શાસ્ત્રીબાગમાં જાળવણીના અભાવે રમતગમતના સાધનો બેહાલ, શહેરીજનો વિદ્યાનગર બાગમાં જવાનું વધુ પસંદ કરે છે.

આણંદ શહેરના શાસ્ત્રીબાગમાં જાળવણીના અભાવે બાગની શોભા માટે મુકવામા આવેલ પ્રતિમા સહિત રમતગમતના સાધનો દુર્દશા હાલતમા ફેરવાઇ ગયા છે.ત્યારે દરવર્ષે આણંદ પાલિકા દ્વારા શહેરના બાગ બગીચામાં મરામત માટે લાખો રૂપિયા એજન્ડામાં મંજૂર કરવામાં આવે છે. પરંતુ કામગીરી થતી નહી હોવાથી શહેરના બાગ વિરાન બની ગયા છે. જો કે ઉનાળામાં ગરમી બચવા માટે શહેરીજનો બાગબગીચામાં બાળકોને […]

Continue Reading

ચરોતરમાં દેશી લીંબુની આવક જૂન-જુલાઇથી શરૂ થશે, હાલ 1 કિલો લીંબુની કિંમતમાં 4 કિલો ફ્રૂટ મળે છે.

ચરોતરમાં દેશી લીંબુ આવક જૂન જુલાઇ શરૂ થાય છે. ઉનાળમાં ગરમી રાહત મેળવવા તેમજ લૂથી બચવા માટે લીંબુ પાણીનું ચલણ વધુ હોય છે સાથે સાથે રમઝાન માસ હોવાથી લીંબુની માંગ વધુ છે. માર્ચની શરૂઆત આણંદ જિલ્લામાં દૈનિક 5 ટનથી વધુ લીંબુ આવતા હતા. તે એપ્રિલમાં ઘટીને 1 ટન થઈ છે.જેના કારણે લીંબુના ભાવ આસમાને પહોંચી […]

Continue Reading

બે વર્ષ બાદ આણંદ-ખંભાત ડેમુ ટ્રેનના રેગ્યુલર તમામ રૂટો દોડાવાશે.

કોરોના કાળમાં રેલવે વિભાગે આણંદ ખંભાત ડેમુ ટ્રેનના રૂટો દોડાવવાના બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે મુસાફરોને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાનો વખત આવતો હતો. 2021માં જુલાઇ બાદ કોરોના કેસ ઘટતાં રેલ્વે તંત્ર દ્વારા સ્પેશીયલ બે રૂટ દોડવવામાં આવતાં હતા. પરંતુ તેનું ભાડુ વધુ હોવાથી મુસાફરો તેનો લાભ મળતો ન હતો. ચાલુવર્ષે કોરોના સંક્રમણ નહીંવત જોવા […]

Continue Reading

આણંદ-ખેડા જિલ્લાના શિક્ષકોએ પેન ડાઉન કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવ્યો.

ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10ની બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા બાદ દરેક જિલ્લામાં જુદા જુદા કેન્દ્રો પર ધો-10ની પરીક્ષા પેપર ચકાસણી માટે કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.જેમાં આણંદ જિલ્લામાં આણંદ શારદા હાઇસ્કુલ અને એસ.બી.દેસાઇ બાકરોલ હાઇસ્કુલમાં પેપર ચકાસણીનું કામ હાથધરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે ગણિત વિજ્ઞાન પેપરની ચકાસણી કામ હાથધરાયું હતું. ત્યારે રાજય માધ્યમિક […]

Continue Reading

દૂધ પછી હવે અમૂલ દ્વારા બટરમાં ભાવ વધારો જાહેર કરાયો.

કારમી મોંઘવારી વચ્ચે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા સામાન્ય વર્ગ પરેશાન છે ત્યારે અમૂલ દુધના ભાવમાં તાજેતરમાં વધારો નોંધાયા બાદ હવે અમૂલ બટરના ભાવમાં પણ વધારો કર્યો છે. અમૂલ દ્વારા બટરના તમામ પેકટેના ભાવમાં વધારો કર્યો છે અને તે મુજબ ૧૦૦ ગ્રામનું બટરનું પેકેટ હવે બાવન રૂા.માં મળશે. થોડા સમય પૂર્વે જ અમૂલ દ્વારા […]

Continue Reading

ચરોતર PNG ગેસમાં ફરી રૂ 2નો ભાવ વધારો.

મોંઘવારીએ માઝા મુકી દીધી હોય તેમ આણંદ ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ દ્વારા ઘરેલુ પીએનજી ગેસમાં એકાએક રૂા 2 નો ભાવ વધારો ઝીંકી દેવાયો છે.ત્યારે 12 દિવસ અગાઉ પીએનજી ગેસના ભાવમાં રૂ.4નો વધારો કરાયો હતો. જયારે ગુરૂવારે ચરોતર પીએનજી ગેસમાં 1 યુનિટે રૂા 2 નો વધારો કરાયો છે. ઘરેલુ ગેસના ભાવમાં શુક્રવારે ભાવ વધારો ઝીંકવાના […]

Continue Reading

ઉનાળુ સિઝનને સિંચાઇના પાણીનુ ગ્રહણ નડ્યું જિલ્લામાં માત્ર 39209 હેક્ટરમાં વાવેતર થયું.

ઉનાળાની ગરમી શરૂ થતાંની સાથે આણંદ જિ્લ્લામાં ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે.ત્યારે નહેરોમાં સિંચાઇનું પાણી બંધ કરી દેવાતાં વાવેતર કરવામા આવેલ ખેતી પાક સુકાઈ રહયો છે. અત્યાર સુધીમાં માત્ર 39209 હેકટરમાં ઉનાળુ પાકોનું વાવેતર થયેલ છે. ગત વર્ષે આ સમયે 51474 હેકટરમાં વાવતેર ખેતરો થયું હતું. ઉનાળામાં ખેતી પાકની વાવેતરની જરૂરીયાત સમયે […]

Continue Reading