‘હું તો મજાક કરતો હતો’ : મધુ શ્રીવાસ્તવે પહેલાં કહ્યુંઃ ‘મારી ચૂંટણી લડવાની ઇચ્છા ઓછી છે ‘ભાજપના MLAનું ‘અભી બોલા અભી ફોક’

વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પહેલાં મીડિયા સમક્ષ કહ્યું, આ વખતે મારી ચૂંટણી લડવાની ઇચ્છા ઓછી છે, હું પત્નીને ચૂંટણી લડાવીશ. જોકે ત્યાર બાદ તેમણે નિવેદન ફેરવી તોળતાં કહ્યું, મારી પત્ની બાજુમાં ઊભી હતી, તેને સારું લાગે એટલે હું તો મજાક કરતો હતો. પાર્ટી મારી પત્નીને ટિકિટ આપશે, ગુજરાત વિધાનસભાની […]

Continue Reading

EWS અનામત પર સુપ્રીમ કોર્ટની મહોર, 10 ટકા અનામત યથાવત રહેશે. : ગુજરાતની ચૂંટણી પહેલાં જ સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો.

5 જજની બેન્ચમાંથી ચાર જજોએ બંધારણના 103મા સુધારા અધિનિયમ 2019ને સમર્થન આપ્યું. EWS અનામત પર સુપ્રીમ કોર્ટની મહોર, 10 ટકા અનામત રહેશે. પાંચ જજોની બેન્ચે ચુકાદો સંભળાવ્યો. આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 ટકા અનામતની વ્યવસ્થા અંગે સુપ્રીમ કોર્ટમાં સોમવારે ચુકાદો સંભળાવાયો છે. EWSમાં સમાવિષ્ટ લોકોને સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણમાં આપવામાં આવેલ 10 […]

Continue Reading

કાલોલ : ઘણા સમય થી બિસ્માર પડી રહેલ રોડ બનાવનાર દેસાઈ કન્સ્ટ્રક્સન કંપની ના ડમ્ફર ચાલકો ની દાદાગીરી ..પાલિકા તંત્ર મૃગપ્રેક્ષક.

કાલોલ નગર માં વિજય સિનેમા પાસે નો ઘણા સમય થી બિસમાર હાલત માં પડેલ રોડ નું કામ શરુ થતા રાહત ની સાથે સાથે રોડ કોન્ટ્રાક્ટર ના ડમ્પર ડ્રાઈવરો દ્વારા નગર ના રસ્તે થી બેફામ અને ગફલત રીતે ડમ્પરો હંકારવા થી એક્સીડંટ થવા ની સંભાવનાઓ સેવાઈ રહી છે. આજ રોજ નવાપુરા માં થી વિમાન ની ગતિએ […]

Continue Reading

હાલોલ તાલુકાના સૈયદપુરા ગામેથી 09 ફૂટનો અજગર ઝડપાયો.

હાલોલ તાલુકાના સૈયદપુરા ગામે ખેતરમાં એક 09 ફુટના અજગરે દેખો દીધો હતો. ત્યારે ગામના જાગૃત નાગરિક ભરતભાઈ પરમારે ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના અશોકભાઈ રાઠોડને જાણ કરતા તેમને જિલ્લા પ્રમુખ પ્રહલાદસિંહ પરમારને જાણ કરી હતી. તેમને સત્વરે હાલોલ તાલુકાના RFO સતિષભાઈ બારીયા ને જાણ કરી. ફ્રેંડ્સ ઓફ એનિમલ્સની પુરી ટીમ સાથે મળી સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન […]

Continue Reading

ગોધરા ખાતે દિવ્યાંગ મતદારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ગોઘરા લાલબાગ મંદિરના હોલ ખાતે યોજવામાં આવેલ દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો, આસી.નોડલ ઓફિસર PwD તથા જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારી પંચમહાલ હાજર રહી કેમ્પમાં હાજર દિવ્યાંગ મતદારોને આગામી ૫ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ જીલ્લામાં યોજાનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ ની SVEEP Activity અન્વયે પંચમહાલ જીલ્લાના દિવ્યાંગ મતદારોમાં મતદાનના દિવસે દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે […]

Continue Reading

જૂનાગઢમાં પરિક્રમા રૂટ પર પૂંછડી પકડી વાનરને ખેંચ્યો, ઢસડતાં દૃશ્યો જોઈને તમને પણ ગુસ્સો આવી જશે

જૂનાગઢમાં પરિક્રમા રૂટ પર પૂંછડી પકડી વાનરને ખેંચ્યો, ઢસડતાં દૃશ્યો જોઈને તમને પણ ગુસ્સો આવી જશે. ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે. લોકો પૂણ્યનું ભાથું બાંધવા માટે લીલી પરિક્રમા કરતા હોય છે. એવામાં પરિક્રમા દરમિયાન એક યાત્રાળુ દરમિયાન વાનરની કનડગત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પ્રાણીપ્રેમીઓમાં નારાજગી ફેલાઈ છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોને […]

Continue Reading

1 અને 5 ડિસેમ્બરે ગુજરાતની ચૂંટણી:8 ડિસે. પરિણામ, 4 કરોડ 90 લાખ મતદાર 182 ધારાસભ્યને ચૂંટશે: આચારસંહિતા લાગુ.

1 અને 5 ડિસેમ્બરે ગુજરાતની ચૂંટણી:8 ડિસે. પરિણામ, 4 કરોડ 90 લાખ મતદાર 182 ધારાસભ્યને ચૂંટશે: આચારસંહિતા લાગુ

Continue Reading

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, 400થી વધુ લોકો પાણીમાં ખાબક્યા:’60 બોડી કાઢી છે’, અમૃતિયાનો દાવો, મૃતકોમાં 10થી વધુ બાળકો સામેલ, મોતનો આંકડો હજી પણ વધી શકે છે.

મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા છે. આ ઘટના બાદ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મોરબીમાં દિવાળીની રજાઓમાં છેલ્લા ઘણા દિવસોથી ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ત્યારે આજે પણ લોકોની ભીડ જામી હોય, મોડી […]

Continue Reading

‘વ્હોટ્સએપ’ને ગ્રહણ લાગ્યું:ભારતમાં સર્વર ડાઉન; મેસેજ મોકલવામાં તકલીફ થઈ રહી છે, યુઝર્સે સો.મીડિયામાં ફરિયાદ કરી

આજે સાંજે વર્ષનું છેલ્લું આંશિક સૂર્યગ્રહણ લાગશે ત્યારે વ્હોટ્સએપ પર અત્યારથી જ ગ્રહણ લાગી ગયું. વિશ્વનાં મોટાભાગના દેશોમાં વ્હોટ્સએપ સર્વિસ ડાઉન થઈ ચૂકી છે. એવા અહેવાલો છે કે, યુઝર્સ મેસેજિંગ પ્લેટફોર્મ પર સંદેશા મોકલવા અથવા પ્રાપ્ત કરવામાં સક્ષમ નથી. વેબસાઇટ ડાઉનડિટેક્ટરે પણ સ્વીકાર્યું હતું કે વ્હોટ્સએપ કામ કરતું નથી અને તેને કારણે હજારો યુઝર્સને અસર […]

Continue Reading

ગોધરાના મોરડુંગરા ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના 39માં પાટોત્સવની ઉલ્લાસભેર ઉજવણી.

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા તાલુકાના મોરડુંગરા- સાંપા ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના 39માં પાટોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વ્યસન મુક્તિ સભાઓનું આયોજન કરાયું. ગોધરા તાલુકાના મોરડુંગરા- સાંપા ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું પરમોચ્ચ સ્થાન છે. કુણ નદીના કાંઠે વસેલા મોરડુંગરા ગામમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસ સ્વામી મહારાજે આજથી 39 વર્ષ પહેલા […]

Continue Reading