ગર્ભવતી મહિલા ને પ્રસવ પીડા થતા દોઢ કિમી ખાટલામાં ઊંચકી 108 સુધી લઈ જવાઇ..

કાલોલ તાલુકાના મેદાપુર  : આઝાદીના ૭૫ વર્ષો સુધી ગામમાં ૧૦૮ એમ્બ્યુલન્સને જવાનો રસ્તો પણ નથી કાલોલ તાલુકાના મેદાપુર પંચાયતમાં આવેલા નમરા ફળિયામાં ગુરૂવારે સ્થાનિક એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની સ્થિતિ સર્જાઈ હતી. જે માટે ૧૦૮ એમ્બ્યુલન્સનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ ગામલોકોના દુર્ભાગ્યે નમરા ફળિયામાં એમ્બ્યુલન્સ જઇ શકે […]

Continue Reading

કાલોલ તાલુકાના કાનોડ ગામના સીઆરપીએફના કમાન્ડો જવાનનું ફરજ દરમ્યાન અવસાન થતા ગામ શોકાતુર : સ્નેહ અને સન્માન સાથે અંતિમ વિદાય આપી.

કાલોલ તાલુકાના કાનોડ ગામના ભુપેન્દ્રસિંહ ચૌહાણ પાછલા પંદર વર્ષોથી સીઆરપીએફમાં જોડાઈને સીઆરપીએફના એક કમાન્ડો તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ ફરજ દરમ્યાન ગંભીર બીમારીનો ભોગ બનતા સીઆરપીએફ દ્વારા તેમને વધુ સારવાર અર્થે દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં પાછલા આઠ મહિનાથી સારવાર આપવામાં આવતી હતી. જ્યાં તેમના પરિવારજનોને પણ તેડાવ્યા હતા. તેમ છતાં દુર્ભાગ્યે આઠ મહિનાની સારવારને અંતે કમાન્ડો […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧ માં જન્મદિવસે હાલોલ ખાતે પ.પૂ.ગોસ્વામી શ્રી પંકજકુમારજી ની અધ્યક્ષતામાં સર્જાયો વિશ્વ વિક્રમ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ૭૧ માં જન્મ દિવસે સમગ્ર પંચમહાલ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે હાલોલ ખાતે વૈષ્ણવ સંપ્રદાય ના પ.પૂ.ગોસ્વામી શ્રી પંકજકુમાર ની ઉપસ્થિતીમાં અનોખો વિશ્વ વિક્રમ હાલોલની ધરા પર સ્થપાયો હતો.ભારતના સૌથી નાની વય ના અને એકમાત્ર નોંધાયેલ યુનિ સાયકલીસ્ટ રોનીત જોશી દ્વારા વડોદરા થી હાલોલ સુધી સતત 35 કિ.મી યુનિ સાયકલ […]

Continue Reading

કોંગ્રેસ હાઇકમાન્ડે CM કેપ્ટનનું રાજીનામું માગ્યું,ધારાસભ્ય પક્ષની બેઠકમાં નવા નેતા પસંદ કરવાનો આદેશ,

પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે સોનિયા ગાંધીને મળ્યા બાદ શુક્રવારે મધ્યરાત્રિએ સોશિયલ મીડિયા પર ધારાસભ્ય દળની બેઠક અંગે માહિતી આપી છે. આજની બેઠકમાં અજય માકન અને હરીશ ચૌધરી કેન્દ્રીય નિરીક્ષક તરીકે હાજર રહેશે. આ બેઠક બાદ રિપોર્ટ તૈયાર કરીને હાઈકમાન્ડને મોકલવામાં આવશે.મોટો સવાલ એ થઈ ગયો છે કે સન્માનજનક વિદાય માટે કેપ્ટન અમરિંદર સિંહ રાજીનામું […]

Continue Reading

ભાદરવી અગિયારસના દિવસે અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે રામાપીરના મંદિરે નેજા ચડાવ્યાં….

રિપોર્ટર :-સુરેશ રાણા,બનાસકાંઠા માઇભક્તો રામાપીર બાબાના દર્શન કરી ધન્યતા અનુભવી….. રામાપીરના મંદિરે નેજા ચડાવતા વરસાદ નું આગમન થયું હતું .. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી અગિયારસના દિવસે અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે રામાપીરના મંદિરે નેજા ચડાવ્યા. તેમજ અમીરગઢના આસપાસના ગામના લોકોએ રામાપીરના મંદિરે નેજા ચડાવ્યા તેમજ મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટી પડ્યા હતા. માઇભક્તો ભોજન […]

Continue Reading

ઇકબાલગઢના વિશ્વેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલી બનાસ નદીમાં ગણેશ વિસર્જન કરવા ઉમટ્યા શ્રદ્ધાળુઓ….

રિપોર્ટર :સુરેશ રાણા, બનાસકાંઠા -બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક આવેલા વિશ્વેશ્વર મહાદેવના મંદિર પાસે વહેતી બનાસ નદીમાં ગણેશ વિસર્જન માટે મોટી સંખ્યામાં માઇભક્તો, શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા..અગાઉ ઉપરવાસમાં વરસાદ થવાથી બનાસ નદીમાં નીર આવતા ભાદરવી અગિયારસના દિવસે મોટી સંખ્યામાં ગણેશજીને વિસર્જન કરવા દૂર-દૂર થી માઇભક્તો ડી જે. ના તાલ સાથે ઉમટી પડ્યા હતા. તો […]

Continue Reading

ઇકબાલગઢમાં સામાન્ય વરસાદથી રોડ પર ભરાયા પાણી…..

રિપોર્ટર:સુરેશ રાણા, બનાસકાંઠા તંત્ર ની ઘોર બેદરકારી આવી સામે… અમીરગઢ તાલુકામાં 10 મીમી જેટલો વરસાદ થતાં જ ઇકબાલગઢ ના જાહેર રસ્તામાં ભરાયા પાણી…. ઈકબાલગઢ હાઇવે થી ઈકબાલ બજારના રસ્તા વચ્ચે પાણી ભરાયા… અગાઉ પણ સામાન્ય વરસાદ થી પાણી ભરાયા હતા..પરંતુ હજુ સુધી કોઈ નિકાલ નહિ.. તંત્ર ની બેદરકારી ને કારણે લોકોને વિશ્વેશ્વર મહાદેવના દર્શને આવતા […]

Continue Reading

શહેરા નગર પાલિકાના હોલમાં અને ડોકવા ગામ ખાતે તાલુકા પંચાયત સભ્યના ઘર પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને ગરીબો ની બેલી સરકાર કાર્યક્રમ યોજાયો….

રિપોર્ટર: પાર્થિવ દરજી પંચમહાલ શહેરા તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને પ્રજાજનોમા ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. નગરપાલિકાના હોલમાં અને તાલુકાના ડોકવા ગામ ખાતે પર્વતસિંહ ચૌહાણ ના ઘર પાસે ગરીબો ની બેલી સરકાર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને મહાનુભાવોનું ગ્રામજનો દ્વારા પુંષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતુ.પ્રધાનમંત્રી […]

Continue Reading

શહેરા તાલુકા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફળફળાદી નું વિતરણ કરવા સાથે માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ છોડોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું..

રિપોર્ટર :રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ શહેરા નગર અને તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, મહામંત્રી સંજય ભાઈ બારીયા, હસમુખભાઈ વણકર તેમજ રમણભાઈ રાઠોડ અને મહેશ ભાઈ સોલંકી સહિત કાર્યકરો રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી જઈને સારવાર અર્થે દાખલ થયેલા દર્દીઓને ફળફળાદી નું વિતરણ કરવામાં આવ્યું હતું. માર્કેટિંગ યાર્ડ […]

Continue Reading

શહેરા તાલુકાના વલ્લભપુર ગામ ખાતે શંકાસ્પદ ડેન્ગ્યૂ સહિત અન્ય બીમારીમાં લોકો સપડાયા..

રિપોર્ટર :પાર્થિવ દરજી પંચમહાલ શહેરા તાલુકાના વલ્લભપુર ગામમાં ઘણા બધા લોકો શંકાસ્પદ ડેન્ગ્યુ સહિતની અન્ય બીમારીમાં સપડાતા સ્થાનિક ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. જેને લઇને વિરોધ પક્ષના નેતા જશવંતસિંહ સોલંકી સહિત આ ગામના જાગૃત ગ્રામજનો તાલુકા પંચાયત કચેરી ખાતે આવીને તાલુકા વિકાસ અધિકારી ઝરીના અન્સારીને લેખિતમાં રજૂઆત કરી હતી. કે ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવતો નથી. […]

Continue Reading