રાજપીપળા નગરપાલિકાની ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે ૧૧૫ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા યોજાશે : ૦૮ ફોર્મ પરત ખેંચાયા.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં યોજાનારી જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ અન્વયે જાહેર થયેલાં કાર્યક્રમ મુજબ ગતરોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિને રાજપીપલા નગરપાલિકાના ૭ વોર્ડની કુલ-૨૮ બેઠકો માટે માન્ય થયેલાં ૧૨૩ ફોર્મ પૈકી ૦૮ ફોર્મ પરત ખેંચાતા હવે આ ૨૮ બેઠકો ઉપર કુલ- ૧૧૫ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા થશે. તેવી […]

Continue Reading

નર્મદા: પોઇચા બ્રિજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ સમારકામ માટે સંપૂર્ણ બંધ રાખવા સૂચના અપાઈ..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા અને વડોદરા જિલ્લાને જોડતો રંગ સેતુ બ્રિજના નિર્માણમાં કરોડો રૂપિયા ખર્ચાયા હતા. એ બ્રિજ બન્યા બાદ વાહનોના અવરજવર માટે ચાલુ રહેવા કરતા સમારકામ માટે બંધ વધુ રહ્યો છે. બ્રિજના નિર્માણ માં જેટલો ખર્ચ થયો છે તેના કરતાં વધુ ખર્ચ કદાચ એના સમારકામ પાછળ થયો છે ત્યારેએ બાબત બ્રિજના સમારકામમાં ભ્રષ્ટાચાર થયો […]

Continue Reading

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નવાપરા ગામમાં મહિલાની આબરૂ લેવાનો પ્રયાસ કરી ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નવાપરા ગામની મહિલાની આબરૂ લેવાનો પ્રયાસ કરનાર ગામના ઈસમ વિરુદ્ધ મહિલાએ ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નવાપરા ગામની એક પરણિત મહિલા પોતાના ઘરમાં એકલી જ હતી ત્યારે રાતના એક વાગ્યાના સમયે ગામનો સચિનભાઇ અનુજીભાઇ વસાવા મહિલાની એકલતાનો લાભ લઇ તેમની આબરૂ લેવા માટે […]

Continue Reading

શહેરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના તાલુકા પંચાયતના ૧૧ અને જિલ્લા પંચાયતના ત્રણ ઉમેદવારો બિન હરીફ જાહેર…

રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા શહેરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના તાલુકા પંચાયતના ૧૧ અને જિલ્લા પંચાયતના ત્રણ ઉમેદવારો બિન હરીફ જાહેર થતા ભાજપમાં ખુશી જોવા મળી હતી. નગરપાલિકા ,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ૯૦ થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહયા હતા. શહેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ખેંચવાનો દિવસ ભાજપ માટે શુભ રહયો હતો. કોંગ્રેસના ઉમેદવારો એક બાદ […]

Continue Reading

ડભોઇ નગરપાલિકાની ચૂંટણી જંગમાં ૧૫ ઉમેદવારો સાથે ‘આમ આદમી’ પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી: મુખ્ય રાજકીય પક્ષોના ગણિત બદલાશે.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ તાજેતરમાં યોજાનારી ડભોઇ નગરપાલિકાની ૩૬ બેઠકો માટેની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૧૫ ઉમેદવારો ઊભા રાખી ચૂંટણી જંગમાં ધમાકેદાર એન્ટ્રી મારી છે. આમ આદમી પાર્ટીએ સૌપ્રથમવાર ડભોઇ નગરપાલિકાના ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. ડભોઇ નગરપાલિકાની ચૂંટણીમાં જુદા જુદા ૯ વોડૅમાં કુલ ૧૫ ઉમેદવારો ચુંટણી જંગમાં ઊભા રાખ્યા છે. જ્યારે વોર્ડ નંબર ૮માં આખી પેનલ […]

Continue Reading

ડભોઇ નગરના ભાજપના ગઢ સમાન વોર્ડ નંબર સાતમાં રાજકીય ભૂકંપ: સમીકરણો બદલાયા..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગરના નગરપાલિકાના વોર્ડ નંબર ૭ એ ૧૯૯૯ થી એટલે કે છેલ્લી ચાર ટર્મ થી ભાજપનો ગઢ બની રહ્યો હતો .આ ભાજપના ગઢ સમાન વોર્ડમાં છેલ્લા ૨૦ વર્ષથી ભાજપના પાયાના કાર્યકરો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ભાજપને સતત જીત અપાવતા રહ્યા હતા.આ વોડૅમાં જુદા જુદા સમાજમાંથી સક્રિય કાર્યકરોએ […]

Continue Reading

ડભોઇ વડોદરા ફરતી કૂઈ પાસે અકસ્માત સર્જાયો: યુવાનનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ વડોદરા રોડ પર હોટલ તુલસી પાસે ગોઝારો અકસ્માત સર્જાતા ડભોઈના યુવાનનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું. ગતરોજ સવારે આશિષભાઈ દિનેશભાઈ કારોલીયા રહેવાસી બી-૪૪ શ્રીજી પાર્ક કોલેજ રોડ ડભોઇનાઓ પોતાની અશોક લેલન ટેમ્પો નંબર- જી.જે.૦૬.બી. ટી-૨૪૭૯ નવી ખરીદેલી હોય ગાડીની સર્વિસ કરાવવા અર્થે વડોદરા જઇ રહ્યા હતા ત્યારે ફરતી કૂઈ હોટલ […]

Continue Reading

ગોધરા કાંડના મુખ્ય આરોપીને પોલીસે ઝડપી પાડ્યો : છેલ્લા ૧૯ વર્ષથી દિલ્હી સહિતના શહેરોમાં ચોકીદાર બનીને રહેતો હતો.

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન પર કારસેવકોથી ભરેલી ટ્રેન સળગાવી દેવામાં આવી હતી. આ અકસ્માતમાં કુલ 59 કારસેવકો માર્યા ગયા હતા. આ પછી ગુજરાતમાં 2002માં રમખાણો થયા હતા. આ ગોધરા કાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુક 19 વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાયો છે. રફીક હુસેન ભટુક છેલ્લાં 19 વર્ષથી દિલ્હી […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ ભાજપના મહિલા કાર્યકર ટિકિટ ન મળતા ભાજપ પક્ષથી નારાજ થઇ કૉંગ્રેસમાં જોડાયા.

રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ માંગરોળ કોંગ્રેસના પીઠ આગેવાન કાનભાઈ રામ, વાલાભાઈ ખેર, લક્ષમણભાઈ ભરડા સહિતના આગેવાનો દ્વારા મહિલા કાર્યકરને કોંગ્રેસનો ખેસ પહેરાવી અને ફૂલહાર અને સાલ ઓઢાડી પક્ષામાં પ્રવેશ આપ્યું હતો. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ટીકીટને લઇને અસંતોષ જોવા મળી રહયો છે. ત્યારે પ્રથમ વાત કરીએ તો શીલ જિલ્લા પંચાયતની ટીકીટ નહી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ સાવરકુંડલાના લુવારા ગામે કાઠી ક્ષત્રીય સમાજની દિકરી પર થયેલ અન્યાય તથા કચ્છમાં ગઢવી સમાજના બે યુવાનોના પોલીસ મારથી થયેલ મૃત્યુંના વિરોધમાં કેશોદ તાલુકા સમસ્ત કાઠી ક્ષત્રીય તથા ગઢવી ચારણ સમાજે નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું. કાઠી ક્ષત્રીય સમાજ તથા ગઢવી ચારણ સમાજને થયેલ અન્યાય બાબતે અનેક જીલ્લામાં આવેદનપત્ર આપવામા આવ્યા છે જે […]

Continue Reading