કોરોના વાયરસના પગલે અમદાવાદ શહેરમાં લોકડાઉન દરમિયાન માધુપુરા વિસ્તારમાં પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે.
માધુપુરા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે રાહત સર્કલ નજીક આવેલી ડામર વાળી ચાલીમાં કેટલાક યુવકો રસ્તા ઉપર આવી ગયા હતા અને બૂમાબૂમ કરતા હતા પોલીસ દોડી આવીને તેઓને ઘરમાં જવા માટે રજૂઆત કરી હતી.
ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસ ભાગી ગઈ હતી. માધવપુરા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.