જૂનાગઢ: માંગરોળ પી.જી.વી.સી.એલ કચેરી ખાતે ભારતીય કિશાન સંઘ અને પી.જી.વી.સી.એલ એસ.સી.ઈ સાથે મિટિંગ મળી, ખેડૂતોના વિવિધ પ્રશ્ને ચર્ચા કરવામાં આવી..

Latest Mahisagar
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

આજ રોજ જુનાગઢ જિલ્લાના માંગરોળ પીજીવીએલ કચેરી ખાતે નાયબ અધિક્ષક ઈજનેર અને ભારતીય કિશાન સંઘના આગેવાનો સાથે બેઠક મળી હતી. જેમાં જિલ્લા કિસાન સંઘ પ્રમુખ ગોવિંદભાઇ ચોચા વેજાભાઈ ચાંદેરા સરપંચો અને આગેવાનો દ્વારા ખેડૂતોના વિજને લગતા વિવિધ પ્રશ્ર્નો જેવા કે વીજ પોલ નબળા, વાયરો અને તાર જુના થઈ ગયા હોવા છતાં ન બદલવા વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

ખેડૂતોના મોટાભાગના પ્રશ્નો ની નાયબ અધિક્ષક ઈજનેર દ્વારા કાર્યપાલક સાથે ચર્ચા કરી સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યો હતો. તેમજ કિસાન સંઘ દ્વારા આવી 19 જેટલી સમસ્યાઓ લેખિતમાં પણ આપવામાં આવી હતી. જેમાં બાકી રેહતા પ્રશ્નો નું તાત્કાલિક નિરાકરણ થાય તેવી ખાત્રી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *