નર્મદા જિલ્લામાં ૧૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક ૪૫૬ પર પહોંચ્યો.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે હાલ કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યું છે આજે નર્મદા જિલ્લામાં ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં રાજપીપળા માં દરબાર રોડ ૧, આદિત્ય ૧, ટેકરા પોલીસ લાઈનમાં ૧ કોરોના પોઝિટિવ નોંધાયા છે ઉપરાંત નવા રાજુવાડિયા ૧ , વાવડી ૧, કરાઠા ૧, સૂકા ૧, કંથરપુરા ૧, ડેડીયાપાડા ૧ આમ જિલ્લામાં કુલ ૧૨ પોઝિટિવ દર્દી નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૨૩ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૨૯ દર્દી દાખલ છે આજે ૨૭ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૩૯૮ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો ૪૫૬ એ પોહોચ્યો છે આજે વધુ ૩૩૬ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *