ભાવનગર: આજે જિલ્લામા ૪૭ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૨૮ દર્દીઓ બન્યા કોરોનામુક્ત થતા રજા અપાઈ.

Bhavnagar Corona Latest
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

જિલ્લામાં નોંધાયેલા ૧,૪૦૩ કેસો પૈકી ૪૪૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામા આજરોજ ૪૭ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૪૦૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૨ પુરૂષ અને ૧૨ સ્ત્રી મળી કુલ ૨૪ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના કોબડી ગામ ખાતે ૨, ભાવનગર તાલુકાના કમળેજ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના ભોજપરા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૩, ભાવનગર તાલુકાના શામપરા ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૪, મહુવા ખાતે ૨, પાલીતાણા ખાતે ૨, સિહોરના સણોસરા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, તળાજાના રાજપરા-૨ ગામ ખાતે ૧, ઉમરાળાના રામણકા ગામ ખાતે ૧ તથા વલ્લભીપુરના કાળાતળાવ ગામ ખાતે ૩ કેસ મળી કુલ ૨૩ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૪ અને તાલુકાઓના ૪ એમ કુલ ૨૮ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧,૪૦૩ કેસ પૈકી હાલ ૪૪૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૯૨૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૨૫ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *