નર્મદા: ૧૫ દર્દી રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કુલ ૧૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

Corona Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૧૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ૧૫ દર્દી રાજપીપળા તેમજ ૧ વડિયા રોયલ સનસીટીમાં નોંધાયા છે રાજપીપળા માં નોંધાયેલ ૧૫ કોરોના પોઝિટિવ દર્દી પૈકી કાછીયાવાડ ૪ , હાઉસીંગ બોર્ડ ૧ , નવાફળિયા ૩ , રાજપૂત ફળિયા ૧, ટીમબાખડકી ૧ , ભાટવાડા ૨ , લાલ ટાવર ૧ , ચંદ્રવિલા સોસા. ૧ આમ કુલ ૧૫ દર્દીઓ રાજપીપળા માં પોઝિટિવ મળી આવ્યા છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૫૫ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૪૦ દર્દી દાખલ છે આજે ૮ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૨૬૬ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે. સાથે જ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૩૭૫ એ પોહોચ્યો છે આજે વધુ ૩૬૪ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *