ભાવનગર: રાત્રીના ૧૦ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી કર્ફયુ જાહેર કરાયું,કર્ફયુ દરમ્યાન બહારના નીકળવા તંત્રની અપીલ.

Bhavnagar
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

હાલમાં સમગ્ર દેશમાં કોવિડ-૧૯ મહામારીની અસરો અને ફેલાવાને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકારશ્રી દ્વારા અનલોક-૨ માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવેલ છે. જે અનુસાર ગુજરાત સરકારશ્રી દ્વારા પણ લોકડાઉનની અમલવારી માટે ગાઇડલાઇન અને માર્ગદર્શક સુચનાઓ જાહેર કરવામાં આવેલ છે. આ સુચનાઓની ચુસ્તપણે અમલવારી થાય અને કોવિડ-૧૯ નું સંક્રમણ અટકે તે માટે અત્રેના જિલ્લામાં તા. ૦૧/૦૭/૨૦૨૦ થી ૩૧/૦૭/૨૦૨૦ ની મુદ્દત સુધી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામું તથા સરકારશ્રીની અનલોક-૨ માટેની ગાઇડલાઇન અનુસાર નીચે મુજબની પ્રવૃતિઓ પ્રતિબંધિત કરવામાં આવેલ છે.
કોઇપણ ધર્મના કોઇ પ્રકારના ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક સંમેલનો કે મેળાવડાઓ જ્યાં લોકોના મોટા પ્રમાણમાં ભેગા થવાની શક્યતા હોય તેવી પ્રવૃતિઓ પ્રતિબંધિત રહેશે. સમગ્ર જિલ્લામાં રાત્રીના ૧૦-૦૦ કલાકથી સવારના ૦૫-૦૦ કલાક સુધી કર્ફયુ અમલમાં રહેશે.

તંત્ર દ્વારા નદી, તળાવો કે દરિયાકિનારે મૂર્તિ વિસર્જન માટે ન જતા ધરના કુંડમાં જ મૂર્તિ વિસર્જન કરવા તેમજ શોભાયાત્રા કે સરઘસો ન યોજવા તાકીદ કરવામાં આવે છે. રાત્રીના ૧૦-૦૦ થી સવારના ૫-૦૦ કલાક સુધી કર્ફયુ અમલમાં હોઇ જાગરણની રાત્રે લોકોએ ઘરની બહાર ન નિકળવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *