છોટાઉદેપુર જિલ્લાના માલધી ગામે દેવોને રીઝવવા જળાભિષેક કરતા મેઘરાજાનું આગમન થયું.

Chhota Udaipur
રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર

છોટાઉદેપુર પંથક માં વરસાદ નહિ પડતાં મલધી ગામમાં મહાદેવ અને દેવો ને રીઝવવા ઓરસંગ નદીના પાણી દ્વારા જળાભિષેક કરવામાં આવ્યો હતો સીમલ ફદિયા જૂથ ગ્રામપંચાયત ના સરપંચ રાઠવા રેસિંગભાઈ દ્વારા પંથક મા વરસાદ ઘણા લાંબા વિરામ બાદ પણ ન પડતાં લોકોની ખેતી તેમજ પાણી ની મુશ્કેલી ઉભી થઈ રહી હતી ત્યારે મલધી ગામમાં મહાદેવ અને દેવો ને રીઝવવા વર્ષો ની આદિવાસી પરંપરા અનુસાર ગામના પુરુષો અને મહિલાઓ એ ભેગા થઈ ઓરસંગ નદી કાંઠે જઈ બેડામાં પાણી ભરી લાવ્યા અને મલધી ગામના મહાદેવ તેમજ દેવોને જળાભિષેક કરવામાં આવેલ હતો.આ પ્રસંગે આદિવાસી સંસ્કૃતિમાં નાચગાન સાથે મહાદેવ અને દેવો ને રીઝવવા માં આવતા રાત્રિમાં અને વહેલી સવારમાં વરસાદ વરસતા મલધી ગામના લોકોમાં ખુશાલી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *