જૂનાગઢ: માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમોના પવિત્ર તહેવાર ઇદ ઉલ અઝહાને લઇ શાંતિ સમિતિની મિટિંગ મળી.

Junagadh
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમોના પવિત્ર તહેવાર ઇદ ઉલ અઝહા ને લઈ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિ ની મિટિંગ ડી.વાય.એસ.પી પુરોહિત સાહેબની અધ્યક્ષતામાં મળી હતી. હાલમાં કોરોના મહામારી ને લઇ લોકો પોતાના આરોગ્યની જાળવણી માટે સોશ્યિલ ડીસ્ટન્સ સાથે તેમજ જાહેરનામાનો ભંગ ના થાય તે રીતે લોકો તહેવારની ઉજવણી કરે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

આ મિટિંગમાં ડી.વાય.એસ.પી પુરોહિત સાહેબ તેમજ પી.એસ.આઈ વિંઝુડા સાહેબ ના અધ્યક્ષતામાં મળી હતી જેમાં યુસુફભાઈ પટેલ,મંમદ હુસેન જાલા, હનીફભાઈ પટેલ, અદનાત બાપુ સૈયદ, સહિતના સમગ્ર માંગરોળ ના મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજરી આપી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *