ગીર સોમનાથ: સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ કેશુભાઇ પટેલે આજે જન્મદિન નિમીતે ઇ-મહાપૂજા,આયુષ્યમંત્ર જાપ,મહામ્રુત્યુંજય પૂજા કરી શ્રીસોમનાથજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

Gir - Somnath Latest
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ કેશુભાઇ પટેલે જન્મદિન નિમિતે ગાંધીનગર ખાતે પોતાના નિવાસ સ્થાનેથી વીડીઓ કોલીંગ ના માધ્યમથી ઇ-મહાપૂજા,આયુષ્યમંત્ર જાપ,મહામ્રુત્યુંજય જાપ પૂજાનો ઇ-સંકલ્પ કરાયો શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ કેશુભાઇ પટેલનો ૯૩ વર્ષમાં મંગલ પ્રવેશ.માનનીય અધ્યક્ષના જન્મદિવસ નિમીતે સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ મહાદેવને માનનીય અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલના નિરામય આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે તીર્થ પુરોહિતો દ્વારા મહામ્રુત્યુંજય જાપ, આયુષ્યમંત્ર જાપ, મહાપૂજન કરવામાં આવેલ.શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ કેશુભાઇ પટેલને ટ્રસ્ટીઓ, તથા ટ્રસ્ટ પરિવાર તરફથી જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *