ગુજરાત / કોરોના પોઝિટિવ 69 કેસમાંથી 6ના મોત, બે દર્દી સાજા થયા હજુ પણ બે વેન્ટિલેટર પર

Corona Latest

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ મીડિયા સમક્ષ કોરોના વાઈરસની માહિતી આપી હતી. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 69 છે. જેમાંથી 6 લોકોના મોત થયા હતા. બે દર્દીઓએ કોરોનાને માત આપીને રિકવર થયા છે અને તેમને રજા આપીને ઘરે મોકલી દેવાયા છે. જ્યારે હોસ્પિટલમાં દાખલ હજુ બે દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોમાં 32 લોકો વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી ઘરાવે છે, 4 આંતરરાજ્ય કેસ છે, જ્યારે અડધા કેસો એટલે કે 33 ટકા લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. થેલેસીમિયાથી પીડિતા બાળકો અને દર્દીઓને રેડક્રોસમાંથી બ્લડ અપાશે.લોકો પણ બ્લડ આપી મદદ કરી શકશે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
અમદાવાદ -23 પોઝિટિવ (3 મોત, 1 રિકવર)
સુરત -8 પોઝિટિવ (1 મોત, 1 રિકવર)
ભાવનગર 6 પોઝિટિવ (2 મોત)
ગીર સોમનાથ -2
રાજકોટ -9
પોરબંદર – 1
ગાંધીનગર -9
વડોદરા -9
કચ્છ -1
મહેસાણા -1
કોરોના વાઈરસ સામે ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અગમચેતીના નિર્ણયો
કોરોના વાઈરસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ તા.૧૪/૦૪/૨૦૨૦ મધ્ય રાત્રી સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવાનો ભારત સરકારે નિર્ણય લીધો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર જરૂરી કાર્યવાહી હાથ ધરી રહી છે અને લોકોને મુશ્કેલી પડે નહિ તેની કાળજી લેવામાં આવી રહી છે. ત્યારે માન.મુખ્યમંત્રીએ આ પરિસ્થિતિમાં થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્ત બાળકો અને દર્દીઓને મુશ્કેલી ન પડે  તે માટે સુચના આપેલ જેને ધ્યાને લઇ ઇન્ડિયન રેડક્રોસની મદદથી જિલ્લા અને તાલુકા મથકે આવેલ સરકારી હોસ્પિટલો ખાતેઆવા તમામ દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કોરોના વાઈરસ રોગ અટકાયત અંગે કરવામાં આવતી કામગીરીના મોનીટરીંગ હેતુ સિનીયર IAS અધિકારીઓને  વિવિધ જિલ્લા ફાળવવામાં આવ્યા છે. જેમાં જે.પી.ગુપ્તા, મુખ્ય રાજયકર કમિશ્નરને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મળી કુલ-13 જિલ્લાઓ અને મુકેશકુમાર, વાઇસ ચેરમેન અને મુખ્ય કારોબારી અધિકારી, મેરીટાઇમ બોર્ડને મધ્ય અને દક્ષિણ ગુજરાતના મળી કુલ- 14 જિલ્લાઓ ફાળવવામાં આવ્યા છે.  
રાજયમાં હાલની પરિસ્થિતિ કે જેમાં હાલ લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહયું છે. તેને ધ્યાને લઇ રાજય સરકારે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. જેનું ઘનિષ્ટ મોનીટરીંગ કમિશ્નર (આ.) ની કચેરીથી કરવામાં આવશે. આ સર્વેલન્સમાં પોઝિટિવ મળતાં દર્દીઓના આજુબાજુના કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં ભારત સરકારની માર્ગદર્શીકા અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે.  
રાજય સરકારની હેલ્પલાઇન  નંબર -104 ઉપર પર નિયમિત રીતે વ્યકિતઓ મદદ માંગી રહયા છે અને માહિતી મેળવી રહ્યા છે. અત્યાર સુધી 24,૦૦૦ થી વધુ આવા કોલ આવેલા છે જયારે હેલ્પલાઇન ઉપર વ્યકિતઓ પોતાના લક્ષણોની વિગતો આપે તો આવા વ્યકિતઓને પણ નિરીક્ષણ હેઠળ લઇ જરૂરી સારવાર પુરી પાડવામાં આવી રહી છે. જે પૈકી 450 જેટલા વ્યકિતઓને આ રીતે સારવાર પુરી પાડવામાં આવી છે.
વેન્ટીલેટર સહિતના અદ્યતન સાધનોની સુવિધા ધરાવતા આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવેલ છે. હાલ રાજ્યમાં કુલ 4300થી વધુ  આઈસોલેશન બેડ સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. અને 635 બેડની વ્યવસ્થા ખાનગી હોસ્પિટલો ખાતે ઉપલબ્ધ છે. તેમજ આ ઉપરાંત વધુ બેડ ઉભા કરવાની વ્યવસ્થા પ્રગતિમાં છે.
રાજ્યમાં ગંભીર દર્દીઓની સારવાર માટે તમામ વિભાગોમાં થઇને  સરકારી હોસ્પિટલો ખાતે ૧૦૬૧ વેન્ટીલેટર ઉપલબ્ધ છે. અને ખાનગી સંસ્થાઓમાં અંદાજીત ૧૭૦૦ જેટલા વેન્‍ટીલેટર ઉપલબ્ધ છે.
રાજયના તમામ હોસ્પિટલો અને તબીબો પાસેથી SARI ના કેસોની માહીતી તાત્કાલિક મળી રહે  તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા Dr.TeCHO Application શરૂ કરવામાં આવેલ છે.
રાજ્યમાં હાલની નોવેલ કોરોના વાઈરસ ( કોવિડ-19)ના સંક્રમણની પરિસથિતિમાં જરૂરી તમામ દવાઓ, સાધન સામગ્રી, માનવબળ અને તમામ અન્ય કોઇપણ જરૂરી વસ્તુઓ, સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરી શકાય તે હેતુસર રાજ્ય સરકારે ખાસ ખરીદ સમિતિ બનાવવામાં આવેલ છે.
 રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગરતથા રાજકોટ ખાતેની મેડિકલ કોલેજોમાં અને અમદાવાદ ખાતેની ત્રણ ખાનગી લેબોરેટરીન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી યુનીપેથ લેબોરેટરીઅને પાન જીનો મિકસ લેબોરેટરી અમદાવાદમાં કોવિડ-૧૯ માટે લેબોરેટરી ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે.
ડ્રગ્ઝ એન્ડ લોજીસ્ટીક
ભારત સરકાર દ્વારા માસ્ક અને સેનીટાઇઝરને જરૂરીયાતની વસ્તુની કેટેગરીમાં સામેલ કરેલ છે.  રાજયમાં COVID-19 રોગચાળાની શરૂઆતથી અત્યારસુધીમાં એન-95 માસ્ક 9.75 લાખ , પી.પી.ઇ. કીટ 3.58 લાખ  અને ટ્રીપલ લેયર માસ્ક 1.23 કરોડ જથ્થાની ખરીદી કરી ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. 150 વેન્ટીલેટર ખરીદીના આદેશો અપાઇ ગયેલા છે.
COVID-19 અંગેની પ્રોફાઇલેકસીસ માટેની દવા ટેબ. હાઇડ્રોકસીકલોરોકવીન નામની દવાને શીડયુલ H1 ડ્રગ તરીકે જાહેર કરેલા છે. જેથી હવે આ દવા માત્ર અને માત્ર અધિકૃત ડોક્ટરના પ્રિસ્કીપશન પર જ મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *