અમદાવાદ : સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા ગયેલી પોલીસને ટોળાએ પથ્થરમારો કરી ભગાડી

Latest

કોરોના વાયરસના પગલે અમદાવાદ શહેરમાં લોકડાઉન દરમિયાન માધુપુરા વિસ્તારમાં પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે.

માધુપુરા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે રાહત સર્કલ નજીક આવેલી ડામર વાળી ચાલીમાં કેટલાક યુવકો રસ્તા ઉપર આવી ગયા હતા અને બૂમાબૂમ કરતા હતા પોલીસ દોડી આવીને તેઓને ઘરમાં જવા માટે રજૂઆત કરી હતી.

ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસ ભાગી ગઈ હતી. માધવપુરા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *