વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદને પગલે ઘઉં અને કપાસ સહિતના પાકને નુકસાન

Latest Madhya Gujarat

વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસેલા વરસાદને કારણે ખેતી પાકોને નુકસાન થયું છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર પંથકમાં ગુરૂવારે રાત્રે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે વરસાદ પડ્યો હતો. રાત્રે 11 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી સંતરામપુર અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેને પગલે ઘઉં સહિતના પાકોને નુકસાન થયું છે. જેને પગલે ખેડૂતો મુંજાય ગયા છે.
ઘઉં અને કપાસ સહિતના ઉભા પાકને નુકસાન
વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, મહીસાગર રાજપીપળા અને છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં ગુરૂવારે કમોસમી વરસાદ પડ્યો હતો. જેને પગલે ખેડૂતોના ઘઉં અને કપાસ સહિતના ઉભા પાકને નુકસાન થયું છે. ચોમાસા બાદ બેથી 3 વખત થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *