ગીર સોમનાથ: શિંગોડા ડેમમા પાણીની સપાટી વધતા નિચાણવાળા વિસ્તારને સાવચેત કરાયા.

Gir - Somnath
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના જામવાળા ગામ પાસે શિંગોડા નદી ઉપર આવેલ શિંગોડા ડેમ ૭૦ ટકા ભરાઈ જતા પૂર્ણ સપાટીએ ભરાતા/રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર જવર કરવી નહી. કોડીનાર તાલુકાના છાછર, દુદાણા, ધાંટવડ, ગોવિંદપરા(ભંડારીયા), કોડીનાર, મુળદ્રારકા, નાની ઈંચવડ, રોણાજ, સુગલા, ચૌહાણની ખાણ, ગીરગઢડા તાલુકાના જામવાળા, કંસારીયા ગામોના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવર જવર ન કરવા ફલ્ડ સેલ સિંચાઈ વિભાગ દ્રારા એક યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *