નર્મદા: ધોબીસલ,ધનયારા તથા મીઠી વાવ ગામે કોરોના જાગૃતિના અભિયાન માટે થેલીનું વિતરણ કરવામાં આવ્યું.

Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

નર્મદા જિલ્લાના ધોબીસલ- ધનયારા તથા મીઠી વાવ ગામે કોરોના જાગૃતિ ના અભિયાન માટે થેલીનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ધોબીસલ આશ્રમ શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ધોબીસલ,ધનયારા તથા મીઠી વાવ ગામે કોરોના જાગૃતિ ના અભિયાન માટે માંગરોળ ગામના સમાજ સેવક મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા ગામ થેલી તથા અભ્યાસ કરતાં નાના બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તેઓની સાથે ધોબીસલ પ્રશાંત આશ્રમ શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ તથા રાજુભાઈ બારીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા લોકોને કોરોના વાયરસની જાગૃતિ સામે રક્ષણ મેળવવા માટેની સમજ અપાઇ હતી તથા માસ્કને સેનીટાઇઝર નો ફરજિયાત ઉપયોગ કરવા માટે તથા સોશિયલ ડિસ્ટન્સ નું અંતર જાળવવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *