જૂનાગઢ: કેશોદ મોબાઈલ વેપારી એસોસિયેશન દ્વારા વિધાર્થીઓનું સન્માન કરાયું.

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

કેશોદ મોબાઈલ વેપારી એસોસિયેશન દ્વારા દરેક વર્ષે વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાતો હોઈ પણ હાલ કોરોના મહામારી ને લીધે કેશોદ કેન્દ્ર તથા કેશોદ શહેરમાં વસતાં અને બહાર ભણતા વિદ્યાર્થીઓ ને ધરે જઈ અને સન્માન પત્ર તથા ઇનામો આપી અને વિદ્યાર્થીઓનું કેશોદ મોબાઈલ વેપારી એશોશીએશન દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ હતાં.તેમાં એસ.એસ.સી.તથા ૧૨ કોમર્સ તથા ૧૨ સાયન્સ તથા સી.બિ.એસ.સી ના વિદ્યાર્થીઓ તથા સાથે તેમના વાલીઓ ને સન્માનિત કરવામાં આવેલ હતાં. વિધાર્થીઓ નાં સન્માન કરવામાં મોબાઈલ એશો.પ્રમુખશ્રી રાજુભાઇ બોદર અને ઉપપ્રમુખ દિવ્યેશભાઈ છાયા તથા ભાવિનભાઈ ફળદુ વિદ્યાર્થીઓ ના ધરે જઇ અને ઉતીર્ણ બની કેશોદ શહેર ને તેમજ પરિવારને ગૌરવ અપાવનાર વિદ્યાર્થીઓ તથા વાલીઓને શુભેચ્છાઓ આપેલ. કેશોદ મોબાઈલ વેપારી એસોસિયેશન દ્વારા દર વર્ષે શૈક્ષણિક ક્ષેત્રમાં બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ તથા વાલીઓ નું દર વર્ષે સન્માનિત કરીને ઉજ્જવળ કારકિર્દી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. કેશોદ મોબાઈલ વેપારી એશોશીએશન દ્વારા કરવામાં આવતી પ્રવૃતિઓ અન્ય સામાજિક અને વેપારી સંસ્થાઓ ને પ્રેરણાદાયી અને દિશાસૂચક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *