નર્મદા: રાજપીપળા માં આજે કોરોનાનો એક કેસ નોંધાયો : માછીવાડ ના ૬૨ વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ.

Corona Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

અનલોક-૨ માં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લા માં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે નર્મદા માં કેવડિયા ના એસ.આર પી કેમ્પ કોરોનામાં સપડાયો હતો ત્યારબાદ છુટા છવાયા જિલ્લામાં કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે આજે વધુ એક કેસ રાજપીપળા માં કોરોના પોઝિટિવ નોંધાયો છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીસ ઓફિસર ડોક્ટર કશ્યપ ના જણાવ્યા મુજબ ગતરોજ ચકાસણી માટે મોકલેલ ૬૨ સેમ્પલ માંથી ૧ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે રાજપીપળા ના માછીવાડ માં રહેતા ૬૨ વર્ષીય પુરુષ હસમુખભાઈ ગોપાલભાઈ માછી નો કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર માં દોડધામ મચી છે.

સાથેજ નર્મદા જિલ્લાની કોવિડ હોસ્પિટલમાંથી આજે ૨ દર્દીઓને રજા આપવામાં આવી હાલ કોરોનાના ૧૩ માંથી એક દર્દી સુરત અને એક દર્દી વડોદરા રીફર કરતા ૧૧ દર્દીઓ સારવાર હેઠળ છે નર્મદા જિલ્લામાં આજદિન સુધી ૯૦ દર્દીઓ સજા થતા રજા અપાઈ છે તેમજ કોરોનાના કારણે એકપણ મૃત્યુ નોંધાયું નથી આજે વધુ ૪૧ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *