હાલોલ: કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઈ નગરપાલિકા અને મામલતદાર દ્વારા હાલોલ નગરની તમામ દુકાનો બપોરે ૪ વાગે બંધ કરવા નો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.

Corona Halol Latest Panchmahal
રિપોર્ટર: જસ્મીન શાહ,હાલોલ

હાલોલ નગર રોજના રોજ કોરોના નો કહેર વધી રહ્યો છે દરરોજ ના કેસ આવી રહીયા છે ત્યારે હાલોલ મામલતદાર ખાતે એક મિટિંગ યોજાઈ હતી જેમા હાલોલ નગર માં દુકાનો તથા શાકભાજી ની લારીયો નો સમય નક્કી કરવામાં આવ્યો હતો જેમા શાકભાજી નો સમય સવારે ૮ થી ૨ કરવામાં આવ્યો હતો જ્યારે તમામ દુકાનો નો સમય સવારે ૮ થી ૪ નો કરવા માં આવ્યો છે અને દૂધની ડેરી અને મેડિકલની દુકાનો સવારે ૮ થી ૬ નો સમય નક્કી કરવામાં આવ્યો છે જ્યારે બુધવાર ના દિવસે મેડિકલ અને દૂધની ડેરી સિવાય સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવા માં આવ્યો છે આ નિર્ણય ને ધ્યાન માં રાખી વેપારીઓ બપોરે ૪ વાગે દુકાનો બંધ કરી લેવામાં બંધ કરવા ના નિયમ ને સમર્થન આપ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *