અમદાવાદ: વિરમગામના નાયબ મામલતદાર (પુરવઠા) કોરોના સામે જંગી જીતી ફરજ પર હાજર થતા કોરોના વોરિયર તરીકે સન્માન કરવામાં આવ્યું.

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

વિરમગામ સેવા સદનમાં નાયબ મામલતદાર(પુરવઠા) તરીકે ફરજ બજાવતા ઘનશ્યામભાઈ જી ગોહિલ જેઓએ કોરોના વાયરસને લઈ લોકડાઉનમાં પોતાના જીવના જોખમે અનેક કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી હતી. જેમાં પરપ્રાંતીઓને તેમના વતન મોકલવા તથા સરકાર દ્વારા જાહેર થયેલ મફત અનાજ વિતરણનું સુવ્યવસ્થિત આયોજન કરવું તથા લોકડાઉનમાં ફસાયેલા લોકોને વતનમાં પરત જવા માટે પાસ કાઢી આપવા, રહેવા, જમવાની વ્યવસ્થા જેવી અનેક લોકો ઉપયોગી જનહિતમાં સેવા રાતદિવસ કરી હતી. તેઓની ફરજ દરમિયાન તેઓ કોરોના વાયરસ નો ભોગ બન્યા હતા અને તેઓ અમદાવાદ ખાતે લાંબી સારવાર બાદ લોકોના આશીર્વાદથી કોરોના મુક્ત બન્યા હતા. તેઓ વિરમગામ સેવા સદન ખાતે ફરજ ઉપર હાજર હતા વિરમગામના સામાજિક કાર્યકરો રાજુભાઇ મકવાણા, કિરીટ રાઠોડ, બળવંત ઠાકોર, રાકેશ સોલંકી, નાનુભાઈ ઠાકોર દ્વારા તેઓનું ફૂલ અને પુષ્પથી કોરોના વોરિયર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *