ગીર સોમનાથ જિલ્લામાં અનલોક-૨ ના પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા.

Gir - Somnath
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

જિલ્લામાં આવેલ ઓડીટોરીમ, ટાઉનહોલ, પાર્ટીપ્લોટ, લગ્નવાડી, ગેમઝોન, રીક્રીએશન કલબ, સ્વીમીંગ પુલ, વોટરપાર્ક, ડાન્સ કલાસીસ, મેરેજ હોલ, સિનેમા, નાટ્યગુહો, જીમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, કલબ હાઉસ, ગાર્ડન, બાગ-બગીચા, શોપીંગ મોલ, સ્થાનિક માર્કેટ/રવિવારી બજાર, ચોપાટી તેમજ પ્રવાસન સ્થળોએ ભીડ થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન કલાસ વિગેરે સ્થળોએ તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવું. ઓન લાઈન શિક્ષણ પ્રવૃતિ હાથ ધરી શકાશે. જિલ્લામા કન્ટેનમેન્ટ ઝોન/માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયેલ હોય કે ભવિષ્યમાં જાહેર થાય તેમાં આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખોલવા માટેનો સમય સવારના ૭ થી સાંજના ૭ કલાક સુધી રહેશે. કન્ટેનમેન્ટ/માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન સિવાયના તમામ આર્થિક પ્રવૃતિઓ માટે રાત્રીના ૮ સુધી ખુલ્લી રાખી શકાશે. જ્યારે રેસ્ટોરેન્ટ રાત્રીના ૯ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. લોક-ઈન ફેસેલીટી ધરાવતા ઉધોગો તથા સતત ચાલતી પ્રક્રિયાવાળા ઉધોગો છૂટ-છાટના સમયગાળા સિવાયના સમય માટે પણ ચાલુ રાખી શકાશે. ખાનગી ઓફિસો તથા ઉધોગો ૧૦૦ ટકા સ્ટાફ સાથે ચાલુ રાખી શકાશે. તેઓએ કોવિડ-૧૯ની તમામ સુચનાઓ પાલન કરાવાની રહેશે. . ટુ વ્હીલરમાં ૨, ઓટોરીક્ષા/ટેક્સીમાં ડ્રાઈવર સહિત ૩ અને ફોર વ્હીલમા ડ્રાઈવર સહિત ૩ વ્યક્તિ અને ૬ કે તેનાથી વધારે વ્યક્તિની સીટીંગ કેપેસીટીવાળા ફોર વ્હીલરમાં ડ્રાઈર સહિત ૪ વ્યક્તિ અવર જવર કરી શકશે. ખાનગી/સીટી બસમાં ૬૦ ટકા કેપેસીટી સાથે ચાલુ કરી શકશે. તેનાથી વધારે વ્યક્તિઓ અવર જવર કરી શકશે નહિ. મેળાવડા, લોકમેળા, સામાજીક, રમતગમત, ધાર્મિક તથા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈપણ પ્રસંગોનું આયોજન કરવું નહિ. લગ્ન માટે વર-કન્યા પક્ષના અને વિધિ કરનાર સહિત વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓની મર્યાદામા આયોજન કરી શકશે. અંતિમયાત્રમા વધુમાંવધું ૨૦ વ્યક્તિઓ જોડાઈ શકશે. જે માટે મંજુરી મેળવવાની જરૂર નથી. જિલ્લામાં રાત્રીના ૧૦ થી સવારે ૫ કલાક વાગ્યા સુધી કોઈએે મંજુરી વગર અવર-જવર કરવાની રહેશે નહિ. માસ્ક ન પહેરવા અને થુંકવા બદલ રૂા.૨૦૦નો દંડ વસુલવા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના પોલીસ અધિકારીશ્રીને શહેરી વિસ્તારમાં ચીફ ઓફિસરશ્રી તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. દરેક એકમોના માલિકો/દુકાનદારો/ધંધાર્થીઓએ ૬ ફુટ સામાજીક અંતર જાળવવુ, હેન્ડ વોશ, સેનીટાઈઝર અને માસ્કની વ્યવસ્થા કરવાની રહેશે. તેમજ દુકાનોમાં એકી સાથે ૫ થી વધારે વ્યકતિઓ એકઠા ન થાય તે માટે દુકાન માલીકે તકેદારી રાખવાની રહેશે.
આ આદેશ ફરજ ઉપર રહેલ સરકારી કર્મચારી, રોજગારીમાં હોય તેમજ સક્ષમ અધિકારીશ્રીની મંજુરી મેળવનારને લાગુ પડશે નહિ. ફરજ પરના સરકારી કર્મચારીઓ-અધિકારીશ્રીઓએ એક બીજાથી ૧ મીટરનું અંતર રાખવુ. આ હુકલ તાત્કાલીક અસરથી તા. ૩૧-૦૭-૨૦૨૦ સુધી લાગુ પડશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *