નર્મદા જિલ્લાના રાજપીપળામાં આજે કોરોનાનો એક કેસ નોંધાયો.

Corona Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

અનલોક ૧ માં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લા માં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે નર્મદા માં કેવડિયા ના એસ.આર.પી કેમ્પ કોરોનામાં સપડાયો હતો ત્યારબાદ બે દિવસથી કોરોનાના નવા કેસ નોંધાયા ન હતા બાદ આજે રાજપીપળા માં એક કેસ પોઝિટિવ મળી આવતા ફરી આરોગ્ય ખાતા માં દોડધામ મચી છે.

નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીસ ઓફિસર ડોક્ટર કશ્યપ ના જણાવ્યા મુજબ ગતરોજ ચકાસણી માટે મોકલેલ ૩૩ સેમ્પલ માંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેમાં રાજપીપળા ના આર.એસ કમ્પાઉન્ડ માં રહેતા 36 વર્ષીય ચરણભાઈ શંકુભાઈ રાવ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર માં દોડધામ મચી છે સાથેજ નર્મદા જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં હાલ કોરોનાના કુલ ૪૫ દર્દીઓ સારવાર હેઠળ છે નર્મદા જિલ્લામાં આજદિન સુધી ૪૪ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે તેમજ કોરોનાના કારણે એકપણ મૃત્યુ નોંધાયું નથી આજે વધુ ૨૯ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *