ગીર સોમનાથ: વેરાવળમાં બે પરિવારો વચ્ચે મારામારીં થતા સામ સામે પોલીસ ફરિયાદ.

Gir - Somnath
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

વેરાવળમાં બે પરિવાર વચ્ચે મારામારીનો બનાવ બનતા બન્ને પક્ષોએ ચેઇન લૂંટી લેવો અને મારામારીં સહિતની સામસામી ફરિયાદ નોંધાવી છે. જેમાં વૃંદાવન સોસાયટીમાં રહેતા સુરેશભાઈ ઉંપાઘ્યાયે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેની પુત્રવઘૂ ઘર પાસે બેઠી હતી ત્યારે પ્રફુલભાઈ નામના વ્યક્તિએ તેની છેડતી કરી સુરેશભાઈનો પુત્ર તેને સમજાવવા માટે જતાં સુરેશભાઈ સહિત ત્રણ વ્યક્તિઓએ છરી બતાવી ઢીકાપાટુનો માર મારતા છોડાવવા ગયેલ સુરેશભાઈ , પ્રિયાંક અને સાથી ૫૨ પણ હુમલો કરવામાં આવતા ઇજાઓ પહોંચી હતી .સમાપક્ષે પ્રવીણભાઈએ ફરિયાદ નોંધાવી હતી કે સુરેશભાઈ, પ્રિયાંકભાઈ અને એક અજાણ્યા શખ્સે જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલી તલવાર, પાઈપ અને રિંક્ષાની ચેઇન વડે હુમલો કર્યો જેથી પોલીસે બંને પક્ષીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *