નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ થી આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.

Corona Latest Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

જિલ્લામાં આજે નોંધાયેલા વધુ ૬ પોઝિટીવ કેસ સહિત આજદિન સુધી પોઝિટીવ કેસના દરદીઓની કુલ સંખ્યા ૮૫ થઇ..

આજે ૧ દર્દીને અપાયેલી રજા સહિત આજદિન સુધી સાજા થયેલા કુલ ૩૩ દરદીઓને રજા અપાતાં આજની સ્થિતિએ કોરોના પોઝિટીવ કેસના કુલ ૫૨ દરદીઓ રાજપીપલાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળ..

ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૪૧ સેમ્પલો પૈકી આજે ૬ સેમ્પલના રિપોર્ટ પોઝિટીવ અને ૩૫ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યાઃ આજે ૩૨ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા..

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૬૩૦૧૦ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર
સર્વેક્ષણ : ૧૩૫ જેટલા જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર..

કોવીડ-૧૯ મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૬ મી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે ૫.૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં આજે નોંધાયેલા વધુ ૬ પોઝિટીવ કેસ સહિત આજદિન સુધી કોરોના વાયરસના નોંધાયેલા કુલ ૮૫ પોઝિટીવ કેસના દરદીઓ પૈકી સાજા થયેલ એક દરદીને આજે અપાયેલી રજા સહિત કુલ ૩૩ દરદીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે અને કુલ ૫૨ દરદીઓ આજની સ્થિતિએ રાજપીપળાની કોવીડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. તેમજ કોરોના વાયરસ કોવીડ-૧૯ થી નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલ ૪૧ સેમ્પલ પૈકી ૩૫ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટીવ આવેલ છે. જ્યારે ૬ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા છે, જેમાં ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોનીના એસ.આર.પી કેમ્પ ના રહીશ ૪૦ વર્ષિય એક મહિલા, ૩૫ વર્ષિય એક મહિલા અને એક પુરૂષ, ૨૬ વર્ષિય એક પુરૂષ, ૨૩ વર્ષિય એક મહિલા અને ૧૮ વર્ષિય એક યુવાનનો સમાવેશ થાય છે આ દરદીઓને રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયા છે. આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના કુલ-૫૨ દરદીઓ સારવાર હેઠળ છે. જ્યારે આજે ૩૨ સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.

નર્મદા જિલ્લામાં આજે તા.૨૬ મી જુન, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૬૩,૦૧૦ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૬૦ દરદીઓ, તાવના ૪૨ દરદીઓ, ડાયેરીયાના ૩૩ દરદીઓ સહિત કુલ -૧૩૫ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૮,૩૧,૨૭૩ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૩૨૭૬૦૯ લોકોને વિતરણ કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *