સોમનાથના સમુદ્રમાં ન્હાવા જવા પર પ્રતિબંધાત્મક આદેશ જારી

Gir - Somnath Latest
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામ શ્રી સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદ્રમાં આ મંદીરના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ સમુદ્રની ભૌગોલીક પરિસ્થિતિથી અજાણ હોય, સમુદ્રમાં ન્હાવા જતા ડુબી જવાના બનાવો બનવા પામેલ છે. આ સમુદ્રનો કિનારો પ્રથમ દ્રષ્ટિએ છીછરો દેખાઇ પરંતુ થોડા અંદર જતા સમુદ્રમાં બહુજ મોટા વજનદાર ખડકાળ પત્‍થરો છે. જેથી સમુદ્રમાં ન્હાવા પડતા તેમજ પગ પાણીમાં નાખતા દર્શનાથી સહેલાઇથી બહાર આવી શકાતું નથી તથા આ વિસ્‍તારમાં આવતા સમુદ્રના મોજાઓ વાંકાચુંકા તેમજ ઘાતક હોય છે. હાલમાં આ જગ્‍યાએ નવી ચોપાટી બનાવવાનું કામ શરૂ થયેલ છે. તથા મોટા પત્થરના કારણે કોઇપણ વ્યક્તિ તેના ઉપરથી લપસી સમુદ્રમાં ડુબી જાય તેવી શક્યતાઓ રહે છે. અમુક કિસ્સામાં અમુક વ્યકિતઓ પોતે આ પવિત્ર યાત્રાધામના દર્શન કરી પોતાના આત્માને મોક્ષ મળશે તેવા વિચાર ધરાવી સમુદ્રમાં પડી આત્મહત્યા કરે છે. છેલ્લા ૧૦ વર્ષમાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન તથા સોમનાથ મરીન પોલીસ સ્ટેશન ખાતે આવા ઘણા બનાવો નોંધાયેલ છે.

આવા બનાવો બનતા અટકાવવાના ભાગરૂપે અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી ડો. બી. એસ. પ્રજાપતિએ ફોજદારી કાર્ય રીતી અધિનીયમ-૧૯૭૩(૧૯૭૪ ના નં-૨) ની કલમ ૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફથી અરબી સમુદ્રમાં, સોમનાથ મંદિરની પૂર્વ-પશ્ચિમ બન્ને સાઇડના આશરે ૪ કીલોમિટરનાં વિસ્તારમાં સમુદ્ર કાંઠે કોઇપણ વ્‍યક્તિએ સમુદ્રમાં ન્હાવા, પગ બોળવા જવુ નહીં કે સમુદ્રના ઉંડા પાણીમાં પ્રવેશ કરવો નહીં. આ આદેશ તાત્કલીક અસરથી દિન-૬૦ માટે અમલમાં રહેશે. આ આદેશ સરકારી ફરજમાં હોય તેઓને લાગુ પડશે નહીં. આ હુકમનું પાલન ન કરનાર કે તેમાં મદદગારી કરનારની સામે ગુનો થશે તેમજ દંડ અને શિક્ષાને પાત્ર ઠરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *