પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ ઉપર થયેલ હુમલાના વિરોધમાં રાજપીપળા ખાતે આવેદન.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા

કર્મકાંડી બ્રાહ્મણો, કથાકારો, મંદિરના પૂજારીઓ એ ઘટના ને વખોડી આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે.

સુપ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુ ઉપર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા થયેલા હુમલાની ગુજરાતભરમાં નિંદા થઈ રહી છે. ત્યારે રાજપીપળાના બ્રહ્મસમાજ કથાકારો બ્રાહ્મણો તેમજ મંદિરના પૂજારીઓએ આ હુમલાની ઘટનાને વખોડી કાઢયું હતું. તેમજ સખત કાયદેસર પગલાં લેવાય તેવી માગણી સાથે નર્મદા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપ્યું છે.

આવેદનમાં જણાવ્યા મુજબ સુપ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુ પર થયેલા હુમલાને રાજપીપળાના તમામ બ્રહ્મસમાજ કથાકારો તેમજ મંદિરના પૂજારીઓ વખોડી કાઢી છે. મોરારી બાપુ બહુજન સમાજની લાગણી અને માંગણી ને માન આપી પોતાના વક્તવ્ય બદલ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં માથું ટેકવી માફી માંગવા આવ્યા હતા. જેમણે દુનિયાભરમાં રામકથા નો ડંકો વગાડ્યો છે, તેવા મોરારી બાપુ ઉપર હુમલો કરવાનો વિચાર આવવો એના જેવી ઘન્ય ઘટના કોઈ ન હોઈ શકે. કથાકાર તરીકે મોરારીબાપુ ધર્મ ભાવનાને જાગૃત કરે છે. સાથે સાથે જ સમાજને સુધારવાનું કામ પણ કરે છે. તેમની કથા થી કેટલાય લોકો નવપલ્લીત બન્યા છે.

પબુભા માણેક જેવા વ્યક્તિએ સુપ્રીમ કોર્ટ ના આદેશથી હતપ્રભ બની એક સંત ઉપર હુમલો કરી પોતાની હતાશા કે આક્રોશ ઠાલવ્યો છે જે ચલાવી લેવાય નહીં, હુમલો કરનાર પબુભા ઉપર સરકાર કાયદેસર કાર્યવાહી કરી ધરપકડ કરે તેવી રાજપીપળા સંત સમજે માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *