નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના આજે વધુ ૭ પોઝિટીવ કેસ નોંધાયા.

Corona Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે કોરોનાના પોઝિટીવ કેસના સારવાર હેઠળના એક દરદી સાજા થતાં આજે રજા અપાઇ..

ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૨૪ સેમ્પલ પૈકી ૭ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા છે. જ્યારે ૧૧ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ તેમજ ૬ સેમ્પલના રિપોર્ટ પેન્ડીંગ : આજે ૨૮ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા..

જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝીટીવ ૨૮ કેસના દરદીઓ સારવાર હેઠળ છે..

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૫૭,૭૨૪ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૧૨ જેટલા જરૂરીયાતવાળા દરદીને અપાયેલી સારવાર…

ફળિયા, શહેર કે ગામમાં, જિલ્લા કે રાજ્ય બહારથી કોઈપણ વ્યક્તિ કે વ્યક્તિઓનું જૂથ આવે તો જિલ્લાના કંટ્રોલરૂમ નંબર-૦૨૬૪૦-૨૨૧૮૦૬ ઉપર જાણ કરવા નાગરિકોને જાહેર અપીલ..

કોરોના વાયરસની મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૨ મી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૨૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૨૪ સેમ્પલો પૈકી ૧૧ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ તેમજ ૬ સેમ્પલના રિપોર્ટ પેન્ડીંગ છે જ્યારે ૭ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા છે. જેમાં ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની વિસ્તારના રહીશ ૩૧ વર્ષિય ત્રણ પુરૂષ, ૩૪ વર્ષિય એક પુરૂષ, ૩૫ વર્ષિય એક પુરૂષ તેમજ ૨૭ વર્ષીય એક મહિલા અને ૩૦ વર્ષિય એક મહિલાનો સમાવેશ થાય છે. આ દરદીઓને રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયા છે. જિલ્લાની રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળના કોરોના પોઝિટીવ કેસના એક દરદી આજે સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના ૭ એક્ટીવ દરદીઓ સહિત કુલ-૨૮ દરદીઓ સારવાર હેઠળ છે. જ્યારે આજે ૨૮ સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.

નર્મદા જિલ્લામાં આજે તા. ૨૨ મી જુન, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૭,૭૨૪ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૫૦ દરદીઓ, તાવના ૩૧ દરદીઓ, ડાયેરીયાના ૨૯ દરદીઓ, શ્વાસના ૨ દરદીઓ સહિત કુલ -૧૧૨ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૮૨૮૧૭૮ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૨૮૨૦૫૦ લોકોને વિતરણ કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *