કાલોલ: વિશ્વ હિન્દુ પરિષદ કાલોલ પ્રખંડ દ્વારા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગના પૂતળાનું દહન કરી વિરોધ દર્શાવ્યો.

Kalol Latest

ભારતીય સીમા એલ.એ.સી પર ચીન દ્વારા ઘુષણખોરી કરી અને ભારતીય સેનાના જવાનો ઉપર કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવેલ તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ કાલોલ પ્રખંડ (જી. પંચમહાલ) દ્વારા ચીન ના રાષ્ટ્રપતિ જિનપિંગ ના પૂતળા નું દહન કરી વિરોધ દર્શાવ્યો હતો અને શહીદ થયેલા વીર જવાનો આત્માની શાંતિ માટે મૌન રાખી વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.ભારત માતા કી જય ,વંદે માતરમ, જેવા સૂત્રોચાર સાથે ચીનની બનાવટ ની કોઈ પણ વસ્તુ ન વાપરવા માટે ની સપથ લીધી હતી. આ કાર્યક્રમને વિશ્વ હિન્દુ પરિષદ ,બજરંગદળ ના કાર્યકરોએ સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *