નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના આજે વધુ ૮ પોઝિટીવ કેસ નોંધાયા.

Corona Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૩૮ સેમ્પલ પૈકી ૮ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા જ્યારે ૩૦ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા : આજે ૩૮ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા.

જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝીટીવ ૨૩ કેસના દરદીઓ સારવાર હેઠળ છે.

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૬૧,૬૦૬ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૨૯ જેટલા જરૂરીયાતવાળા દરદીને અપાયેલી સારવાર.

કોવિડ-૧૯ મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૦ મી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૩૮ સેમ્પલો પૈકી ૮ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા છે. જેમાં ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની વિસ્તારના રહીશ ૨૫ વર્ષિય એક યુવાન, ૩૩ વર્ષિય એક મહિલા, ૩૮ વર્ષિય એક પુરૂષ, ૪૦ વર્ષિય બે પુરૂષ, ૪૯ વર્ષિય બે પુરૂષ તેમજ ૬૩ વર્ષિય એક પુરૂષનો સમાવેશ થાય છે. આ દરદીઓને રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયા છે. આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના ૮ એક્ટીવ દરદીઓ સહિત કુલ-૨૩ દરદીઓ સારવાર હેઠળ છે. જ્યારે આજે ૩૮ સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.

નર્મદા જિલ્લામાં આજે તા. ૨૦ મી જુન, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૬૧,૬૦૬ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૫૮ દરદીઓ, તાવના ૩૮ દરદીઓ, ડાયેરીયાના ૩૩ દરદીઓ સહિત કુલ -૧૨૯ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૮૨૭૨૫૨ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૨૮૦૮૭૦ લોકોને વિતરણ કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *