ગીર સોમનાથ: ઉનામાં શહિદ સૈનિકોને શ્રદ્ધાંજલિ સાથે પુષ્પાંજલી અર્પણ કરતી વિવિધ સંસ્થાઓ.

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

તાજેતરમાં ભારત-ચીનની સરહદ લદાખ ગલવાન ખીણ પાસે ભારત-ચીનનાં સૈનિકોની અથડામણ થઈ હતી. જેમાં ચીનને જડબાતોડ જવાબ આપતા ભારતના ૨૦ સૈનીક જવાનો શહીદ થતા તેમને શ્રઘ્ધાંજલી અર્પણ કરવા ત્રીકોણ બાગ પાસે જન સેવા સમાજ ત્થા વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાન ભગુભાઈ રાયેક ગોર, અશોકભાઈ વિઠલાણી, રામજીભાઈ પરમાર, મહેશભાઈ બારૈયા વિગેરેએ શહીદોના ફોટા પાસે પુષ્પાંજલી અર્પણ કરી દિપ પ્રગટાવી સલામી આપી શ્રઘ્ધાંજલી આપી હતી. ભારત સરકાર ચીનને જડબાતોડ જવાબ આપી. શહીદોનો બદલો વહેલી તકે લે તેવી પ્રાર્થના કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *