નર્મદા: રાજપીપળા નિઝામશાહ દરગાહ પાસે રહેતી એક બાળકની માતાએ ફાંસો ખાઈ આપઘાત કર્યો.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

પતિ અને સાસુના ત્રાસ થી આ પગલું ભર્યું હોવાનું મરનાર કૌશરબાનું ના પિયર પક્ષ ની ફરિયાદ બાદ પતિ અને સાસુ વિરુદ્ધ ગુનો નોંધાયો.

રાજપીપળા નિઝામ સાહ દાદાની દરગાહ નજીક માં રહેતી પરિવાર ની એક બાળક ની માતાનો આજે વહેલી સવારે ઘરમાં ફાસો ખાધેલી હાલત માં મૃતદેહ મળતા લોકટોળા ઉમટી પડ્યા બાદ મરનાર ના પતિ એ આ બાબતે પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા નિઝામસાહ દરગાહ નજીક માં રહેતી કૌશરબાનું વસીમખાન પઠાણ(૨૫)એ ઘરમાં જ અગમ્ય કારણોસર ફાસો ખાઈ લેતા સ્થાનિકો ના લોકટોળા ઉમટી પડ્યા હતા જોકે આ બાબતે પતિ વસીમે રાજપીપળા પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કૌશરબાનું ના મૃતદેહ ને રાજપીપળા સિવિલ માં પીએમ માટે પહોંચાડી જરૂરી તપાસ હાથ ધરતા મૃતક ના પિયર વડોદરા થી પરિવારજનો ત્યાં આવતા તેમણે પતિ વસીમ અને સાસુ રૂકસાનાબાનું ના ત્રાસ ના કારણે કૌશરબાનું એ ફાંસો ખાધો હોવાનું જણાવતા પોલીસે પતિ વસીમ અને સાસુ રૂકસાનાબાનું વિરુદ્ધ રાજપીપળા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.આ કેસ ની તપાસ કરી રહેલા પીએસઆઇ એસ.જે. રાઠવા ના જણાવ્યા મુજબ કૌશરબાનું ના 6 વર્ષ પહેલાં વસીમ સાથે લગ્ન થયા હોય દરમિયાન સંતાન માં એક બાબો પણ છે ત્યારે હાલ પોલીસે પતિ અને સાસુ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *