રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
વર્તમાન પરિસ્થિતિ માં ભારતીય સીમા એલ.એ.સી પર ચીન દ્વારા ઘુષણખોરી કરી અને ભારતીય સેના ના જવાનો ઉપર નિર્મમ હુમલો કરવામાં આવેલ તેના વિરોધ માં હળવદ વી.હી.પ બજરંગદળ દ્વારા હાલ ની કોરોના પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ મર્યાદિત સંખ્યા માં સરકાર ની ગાઈડલાઈન મુજબ ચીન ના રાષ્ટ્રધ્વજ અને ચીન ના રાષ્ટ્રપતિ જિનપિંગ ના પૂતળા નું દહન કરી વિરોધ દર્શાવ્યો હતો અને ભારત માતા કી જય , વંદે માતરમ , વીર શહીદો અમર રહો , સેના કે સન્માન મેં બજરંગદળ મેદાન મેં જેવા સૂત્રોચાર સાથે ચીન નો વિરોધ અને ભારતીય સેના નું સમર્થન કર્યું હતું આ કાર્યક્રમ ને બજરંગદળ ના કાર્યકરો એ સફળ બનાવ્યો હતો.