રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી માં લોકડાઉન ના સમયે ગરીબોના પેટનું અનાજ રેશનકાર્ડ ગ્રાહકો ને મફત આપવાનુ મોટી માત્રા માં આવ્યું હતું જેને નસવાડી ગ્રામપંચાયતના કોમ્યુનિટી હોલમાં મુકવામાં આવ્યું હતું. જે અનાજમાં ઘઉં નો જથ્થો મોટી માત્રામાં મુકાયો હતો. સંચાલકોને ઘઉં નો જથ્થો ત્યાંથી આપતો હતો પરંતુ હજુ જથ્થો પડ્યો હોય અને વરસાદી વાતાવરણ ઘઉંના જથ્થાને ભેજ લાગ્યો હતો જ્યારે અસંખ્યા ઘઉંના જથ્થા ને ભેજ લાગ્યો હતો જ્યારે અસંખ્ય ઘઉં ની બોરી પર પાણી વધુ હોય ઘઉં ના જવ ઊગી નીકળ્યા હતા જે નસવાડી ગોડાઉન મેનેજર જાતે ઘઉંનો જથ્થો પલળેલો હોઈ તેને બાજુ પર કરી જે ઘઉંની બોરીઓની થપ્પી અલગ સારી જગ્યાએ કરાઈ હતી. ઘઉંનો જથ્થો મોટીમાત્રામાં બગડ્યો ના હોઈ જે બગડ્યો છે તેનું પૂર્વથાવિભાગ જે કાર્યવાહી કરશે તે મુજબની કામગીરી કરવા ગોડાઉન મેનેજરે જણાવ્યું હતું. વરસાદમાં કોમ્યુનિટી હોલમાં પાણી પડે છે તે બાબતે ગોડાઉન મેનેજર અજાણ હોઈ જથ્થો પલડયો હોઈ તે પોતે ચિંતિત બન્યા છે અને તમામ જથ્થો સંચાલકોને ત્યાં પહોંચાડી અને સાથે મજુરો મારફતે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.