પંચમહાલ : ગોધરા ખાતે આવેલી સમ્રાટનગર સોસાયટીમાં રહેતા નિવૃત ડેપ્યુટી કલકેટરના પુત્રેએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું

Godhra Latest

પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે આવેલી સમ્રાટનગર સોસાયટીમાં રહેતા નિવૃત ડેપ્યુટી કલકેટરના પુત્રેએ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. હાલ આત્મહત્યાનુ કારણ એકબંધ હોવાનૂ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે. આત્મહત્યા કરનાર મોરવા હડફના ભુતપુર્વ ધારાસભ્ય નિમિષાબેન સુથારના ભાઈ હોવાનુ બહાર આવ્યુ છે.

ગોધરા સમ્રાટ નગર સોસાયટીના મકાનમાં ગળે ફાંસો ખાઈને 27વર્ષીય વય ધરાવતા અને ઇજનેરીનો અભ્યાસ ભણેલા કુલદીપે પંખા સાથે લટકી આત્મહત્યા કરી. ઘટનાની જાણ પરિવારજનોને થતા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ. ગોધરા શહેર પોલીસે ઘટના સ્થળે આવી કાર્યવાહી હાથ ધરી હતી. કયા કારણોસર આત્મહત્યા કરી એકારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે. નોંધનીય છેકે થોડા દિવસ પહેલા અભિનેતા શુશાંતસિઁહ રાજપુતે પણ ઘરે ફાસો ખાઇ આત્મહત્યા કરી લેતા બોલીવુડમા સન્નાટો પ્રસરી ગયો હતો. જોકે સુખી સંપન્ન પરિવારનો દિકરો કયા કારણોસર આત્મહત્યા કરી તે તો તપાસ બાદ જ ખબર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *