નર્મદા: નાંદોદના અકુવાડાની ઘટના: ભૂંડોના ત્રાસથી પાકને બચાવવા લગાવેલા કરંટયુક્ત તારથી માસૂમ બાળકનું મોત.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અકુવાડા ગામમાં કરંટ લાગતા માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું.અકુવાડામાં રહેતા રાજેન્દ્રભાઇ લલ્લુભાઇ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેમના ફળિયાના બળદેવભાઇ ચંદ્રસિંગભાઈ વસાવાએ પોતાના જવારના ઉભા પાકને ભૂંડો ન બગાડે એ માટે વાડામાં તાર બાંધી તેમાં ઇલેક્ટ્રીક કરંટ ચાલુ કર્યો હતો. જોકે પોતે જાણતા હતા કે આમ કરંટ મુકતા અન્ય માટે પણ એ જીવલેણ સાબિત થઈ શકે છે છતાં પોતાનો જુવારનો પાક બચાવવા આ યુક્તિ વાપરતા ઘરના વાડાને ફરતે લાકડાના ખુંટા લગાડી તેની સાથે તાર બાંધી તેમાં ઇલેક્ટ્રીક્ટ કરંટનો સપ્લાય આપતા રાજેન્દ્રભાઇનો પુત્ર આયુષ(ઉ.૧૦) ફળિયાના બીજા છોકરાઓ સાથે રમતો હોય એ સમયે વાડાને ફરતે લગાવેલા તારમાં આયુષને કરંટ લાગતા તેનું મોત થયું હતું. આ બાબતે આમલેથા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *