રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
“લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યાં ના મરે” એ કહેવતો ને સાર્થક કરતો કિસ્સો રાજપીપળા માં બન્યો જેમાં રાજપીપળા ના હરિસિદ્ધી માતા ના મંદિર સામે આર એસ કંપાઉન્ડ મા આવેલા રાધા સ્વામી શોપીંગ મા ઈંડિયાબુલ માઈક્રો ફાઈનાનસિયલ સર્વિસ ના નામે પોતે ટકાવારી ઉપર લોન અપાવવા નુ કામ કરે છે તેવી હવા ઉભી કરવા સ્થાનિક એજન્ટો ની નિમણુંક કરી અને સ્થાનિકો ને નોકરી ઉપર રાખી લોકો નો ભરોસો કેળવી ભરુચ ના તસરીફ પટેલ નામના યુવાને લોન મેળવવા ઈચ્છુક આશરે 24 જેટલાં લોકો સાથે રુપિયા ચાર લાખ ની છેતરપીંડી કરી ઓફીસ ને તાળાં મારી નાસી છુટવાની ઘટના પ્રકાશ મા આવી છે.
ઈંડિયાબુલ માઈક્રોફાઈનાનસ નામે છેલ્લાં એક વર્ષ થી ચાલતી આ ઓફીસ માં શરુઆત મા ગામના લોકોને વિશ્વાસ મેળવવા સ્થાનિક યુવાનો ને એજન્ટ બનાવી અને ઓફીસ બોય તરીકે રાજપીપળા ની ઈન્દ્રપુરી સોસાયટી મા રહેતા જયદીપસિંહ રતનસિંહ પાટણવાડીયા ને રાખી લોકો ને ફસાવવા માટે ની જાળ બિછાવવામા આવી હતી. જેમાં આશરે 24 જેટલાં લોન વાંચ્છુઓ ના સાડા ચાર લાખ જેટલાં રુપિયા ઉઘરાવી આ કચેરી નો કર્તા હર્તા તસરીફ પટેલ ભાગી છુટ્યો હતો, અને મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દેવામા આવ્યો હતો.
ઓફીસ ને તાળાં જોઈ ને છેતરાયેલા લોકો એ ઓફીસ બોય તરીકે કામ કરતાં જયદીપસિંહ ને ધાક ધમકી આપવાનું શરુ કરતાં ગભરાયેલા આ યુવાને પોલીસ મા આ બાબત ની અરજી આપી છેતરપીંડી કરી નાસી ગયેલ તસરીફ પટેલ સામે કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ કરી હોય હવે પોલીસ પગલાં લઈ આમાં લાખો રૂપિયા ગુમાવનાર લોકો ને તેમના રૂપિયા પરત અપાવે તેવી આશા રાખી રહ્યા છે.