રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
હાલ કોરોના મહામારી ની ગંભીરતા ને પણ ધ્યાને ન લેતા કેટલાક લોકો અન્ય જિલ્લાઓ માંથી આવી પોતાને અને બીજા માટે પણ જોખમ ઉભું કરી શકે છે
કોરોના વાયરસ ના લીધે સમગ્ર ભારતમાં લોકડાઉન મા તમામ ધાર્મિક સ્થળો અને ફરવા ના સ્થળો સરકાર દ્વારા બંઘ રાખવા આવ્યા હતા પણ લોકડાઉન 4 પછી અનલોક 1મા ધાર્મિક સ્થળો ને છૂટ આપવા આવી છે.
શનિવાર ની રજાના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઘણા પ્રવાસીઓ આવ્યા હતા પરંતુ કેવડિયા ખાતે નર્મદા માતા ની પ્રતિમા પાસે પોલીસ અધિક્ષક હિમકરસિંહ ની સુચનાથી ફરજ બજાવતા પી.એસ.આઇ કે.કે. પાઠક તેમના પોલીસ સ્ટાફ સાથે ખુબજ ગંભીરતા પુર્વક ચકાસણી કરી પુછપરછ કરતા સ્ટેચ્યુ જોવા આવેલા લોકો ને પાછા મોકલી આપવામાં આવ્યા ખરેખર લોકો કોરોના વાયરસ ને અનદેખી કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. મહત્વની વાત એ છે કોરોના જાગૃતિ માટે સરકારે ઘણી જાહેરાત કરી જેમાં બિન જરૂરી ઘરની બહાર નીકળવાની મનાઈ કરાઈ છૅ છતાં લોકો પોતાનો જીવ જોખમમાં નાખી ને ફરવા નીકળી પડે છે પોતાનું જીવન જોખમમાં તો નાખે પણ સાથે સાથે બીજા ને પણ જોખમ માં મૂકી શકે છે ત્યારે ત્યાં હાજર નર્મદા પી.એસ.આઈ કે.કે.પાઠક દ્વારા તમામ ને સમજાવી પરત મોકલાયા હતા.