નર્મદા: ગરૂડેશ્વર તાલુકાના સુરવાણી ગામમાં મકાનમાં શોર્ટ શર્કિટથી આગ લાગતા લાખોનું નુકશાન:તડવી પરિવારના નવ સભ્યો નો આબાદ બચાવ

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા સાથે ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

નર્મદા ના ગરૂડેશ્વર તાલુકાના સુરવાણી ગામે આજે વહેલી સવારના છ વાગ્યાના સુમારે તડવી મંગા ભાઇ ગલાભાઇના મકાનમાં અચાનક શોર્ટ શર્કીટના કારણે આગ લાગતા કાચુ મકાન હોવાથી આગ ખુબ ઝડપથી પ્રસરી હતી.મંગાભાઇ તડવી ના પત્નિ શનીબેન આ દુર્ઘટના દરમ્યાન જાગતા હોવાથી બાકીના સભ્યોને ઉંઘમાંથી જગાડી ઘરની બહાર મોકલી દેતા તડવી પરિવારના નવ સભ્યો નો આબાદ બચાવ થયો હતો.

આગની ઘટના માં આજુ બાજુ ના લોકો દોડી આવી આગ ઓલવવા પ્રયાસ કર્યો છતાં આગ કાબુમાં આવી ન હતી.ત્યારબાદ ત્રણ ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા પરંતુ ત્યાં સુધીમાં ઘર સળગીને રાખ થઇ ગયું હતું.આ દુર્ઘટનાને કારણે ઘરની તમામ ઘરવખરીની બળી ને નાશ થઇ જતા પરિવાર બેઘર બન્યો હતો.જાણવા મળ્યા મુજબ આગમાં રોકડ રૂપિયા ૨,૫૦ લાખ તથા અંદાજીત ૨ લાખ રૂપીયાના સોના ચાંદીના ઘરેણા તેમજ ઘરવખરી આ આગમાં બળીને ખાખ થઇ ગઇ હતી.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *