અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે વરસાદના પાણી ભરાતા લોકોમાં ફેલાયો રોષ

Amreli Latest
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

કડિયાળી ગામના લોકો દ્વારા ટેલિફોનિક જાણ કરતા સામાજિક કાર્યકર ગૌરાંગ ડૉક્ટર જાફરાબાદ પત્રકાર બાબુ ભાઈ વાઢેળ રિપોર્ટર મહેશ બારૈયા દ્વારા સ્થળ ની મુલાકાત લેતા હકીકત ના દ્રષ્યો જોવા મળી રહ્યા હતા અને સ્થળ ની પરિસ્થિતિ જોયા બાદ જવાબદાર અધિકારીઓ તેમજ ઊંચકક્ષા રજુઆત કરતા ગૌરાંગ ડૉક્ટર..

કડિયાળી ગામ મા પ્લોટ વિસ્તાર મા નવા રોડ ખોદ કામ કર્યા વગર બનાવવા મા આવેલ હોય તેના લીધે રોડ ઊંચા આવી જતા પાણી જવાના રસ્તા થયા બંધ..

કોરોનાની મહામારી વચ્ચે કડીયાળી ગામ ના પ્લોટ વિસ્તાર માં સામાન્ય વરસાદ પડતા પાણી ભરાતા ગંદકી નો માહોલ જોવા મળી રહ્યો છે..

પાણી ભરાતા ગામ ના વૃદ્ધઓ મહિલાઓ તેમજ નાના બાળકો સહીત ના લોકો મુશ્કેલીમાં મુકાયા.સામાન્ય વરસાદ ના લીધે જો એટલા પાણી ભરાતા હોઈ તો વધુ વરસાદ પડશે ત્યારે અહીં શુ હાલત થશે.

સામાન્ય વરસાદ ના લીધે પાણી ભરાતા ગંદકી થવાના કારણે પાણી જન્ય રોગો અને મચ્છર થવાની લીધે ઝેરી મેલેરિયા જેવા ચેપી રોગો ફેલાવા ના લીધી લોકો મા જોવા મળી રહ્યો છે ભય નો માહોલ જેના લીધે લોકો ઘરની અંદર રહેવા મજબુર….

કડીયાળી ગામના લોકો દ્વારા જણાવ્યું હતું કે આ પાણીનો જલ્દી થી નીકાલ કરવામાં આવે.

જો પાણી નો નિકાલ કરવામાં નહીં આવે અને રોગચાળો ફેલાઈ તો જવાબ કોણ તે લોકોમા પ્રશ્ન ઉદ્દભવ્યો છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *