જામનગર: ગોકુલનગર વિસ્તારમાં સેન્ટીંગ કામની મજૂરી કરી રહેલા યુવાનનુ વીજઆંચકાથી મૃત્યુ.

Latest

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં એક નવા મકાનના બાંધકામના સ્થળે સેન્ટીંગના કામ દરમિયાન એક યુવાનને ઉપરથી પસાર થઇ રહેલી વિજ લાઈનમાંથી વીજ શોક લાગ્યો હતો અને તેનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવની વિગત એવી છે કે, જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતો અને સેન્ટીંગ કામની મજૂરી કરતો હબીબ જુમાભાઈ ખીરા નામનો 35 વર્ષનો યુવાન 12મી તારીખે જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા ફિરોજભાઈ બારીયાના નવા મકાનના બાંધકામના સ્થળે કામ કરી રહ્યો હતો અને મકાનના બીજા માળે પતરા ગોઠવતો હતો. જે દરમિયાન અકસ્માતે લોખંડનું પતરૂ ઉપરથી પસાર થઈ રહેલી ઈલેક્ટ્રીક લાઈનને અડી જતા તેને વીજ આંચકો લાગ્યો હતો, અને શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો.

જેને સૌ પ્રથમ જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે આરીફ ભાઈ જૂમાભાઈ ખીરાએ પોલીસને જાણ કરતા સીટી-સી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *