અમદાવાદ: માંડલમાં મોડીરાત્રે પવનના સુસવાટા સાથે મેઘરાજાની પધરામણી.

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

વાતાવરણમાં ઠંડક પ્રસરી-લોકોને ગરમીથી રાહત..

હાલ વિશ્વભરમાં એકબાજુ કોરોના વાઈરસથી ભયંકર રોગચાળો વકર્યો છે તો બીજી બાજુ નિસર્ગ વાવાઝોડું પણ મહારાષ્ટ્રના અલીબાગના દરિયાકાંઠે ટકરાયું હતું જોકે આ વાવાઝોડાને લઈને કોઈ મોટું નુકસાન થયું નહોતું. જોકે નિસર્ગ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધતું હતું પણ અચાનક જ વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ ફંટાઈ જતાં ગુજરાત સરકારે રાહતનો શ્વાસ લીધો હતો પણ જેની હવામાનમાં અસર સમગ્ર ગુજરાતમાં સર્જાઈ હતી જેને લઈને અમદાવાદ જિલ્લા સહિત તા.૨-૩-૪ અને આજે સતત ચોથા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. માંડલ પંથકના કેટલાંક વિસ્તારમાં તા.4 જુનની મોડીરાત્રે ભયંકર પવનના સુસવાટા સાથે મેઘરાજાનું આગમન થયું હતું. જોકે વીજળી પણ થતી હતી પણ એકાદ વાદળું દસ પંદર મિનિટ વરસીને પછી વાતાવરણ ચોખ્ખું થઈ ગયું હતું. એકંદરે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તેમજ લોકોને પણ ગરમીથી રાહત મળી હતી.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *