મલાવ કૃપાલુ સમાધિ મંદિર દ્વારા કોરોના સંક્રમણ ન ફેલાય તેની સાવચેતીના ભાગરૂપે ૩૦મી જૂન સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે : મલાવ કૃપાલુ સમાધિ મંદિર ટ્રસ્ટ.
હાલ સમગ્ર ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનલૉક-૧ જાહેર કરવામાં આવ્યું છે અનલૉક-૧ માં સરકાર દ્વારા દુકાનો,ઉદ્યોગો અને મંદિરો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ કોરોનાનો વ્યાપ હજુ પણ યથાવત છે કોરોનના કેસોમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે.
કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનનો પગ પેસારો હજુ પણ યથાવત છે મલાવ ગામના માજી સરપંચને ડાયાબિટીસની તકલીફ હોવાથી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા જ્યાં તેઓને વધારે તાવ આવતા સરકારની ગાઇડલાઇન પ્રમાણે કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવતા કાલોલ તાલુકા આરોગ્ય તંત્ર હરકામાં આવ્યું હતું.