ગુજરાત : રાજ્યના ગ્રામીણ વિસ્તારના લોકોને જો પીવાના પાણીની સમસ્યા હોય તો આ નંબર ઉપર ફરિયાદ નોંધાવી શકાશે.

Latest

ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની સમસ્યાઓના ઝડપી ઉકેલ આવી શકે તે હેતુથી પીવાના પાણીની ફરિયાદ નોંધણી માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર “૧૯૧૬“ ૨૪ કલાક કાર્યરત છે. ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીને લગતી ફરિયાદો જેવી કે, હેન્ડપંપ રીપેરીંગ, મીની પાઇપ યોજનાનું રીપેરીંગ અને વ્યક્તિગત કે જુથ પાણી પુરવઠા યોજના દ્વારા આપવામાં આવતા પાણી અંગેની કોઇપણ ફરિયાદ નાગરિકો આ ટોલ-ફ્રી નંબર “ ૧૯૧૬ “ ઉપર નોંધાવી શકશે.

વધુમાં ગ્રામ્ય વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ કે લીકેજ હોય, પાણીની ચોરી થતી હોય અથવા કોઇ વિસ્તારમાં પાણીનો ખોટો વેડફાટ થતો હોય તેવા કિસ્સામાં પણ નાગરિકો ફરિયાદ નોંધાવી શકે છે. ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓનલાઇન ફરિયાદ નોંધવાની સુવિધા પણ પુરી પાડવામાં આવી છે. જેમા કોઇ પણ વ્યક્તિ ws.gujarat.gov.in વેબસાઇટના ન્યૂ કમ્પ્લેઇન સેકશન મારફતે નવી ફરિયાદ નોંધાવી શકશે.જો કોઇ કિસ્સામાં ટોલ ફ્રી નંબર“ ૧૯૧૬ “ વ્યસ્ત જણાય આવા કિસ્સામાં નાગરીકો અન્ય નંબર ૧૮૦૦૨૩૩૩૯૪૪ ઉપર પણ ફરિયાદ નોંધાવી શકે છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *