મહીસાગર: ગામલોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા આર્યુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

મોહદીસે આઝમ મિશન દ્વારા મધ્યગુજરાત મુસ્લિમ સેવા સમાજ અને લુણાવાડા અબૅન હેલ્થ સેન્ટર ના સહયોગથી કોરોના વાયરસના સંક્રમણ નો વધુ વ્યાપ અટકાવવા માટે,લીમડો,ફુદીનો વિગેરે જરુરી જડીબુટ્ટીઓ સાથેનુ ઉકાળો પીવડાવવાનું આયોજન તા-૩૧/૦૫/૨૦૨૦ તા.૦૧/૦૬/૨૦૨૦ તથા તા.૦૨/૦૬/૨૦૨૦ એમ કુલ ત્રણ દિવસ ને સવારે ૧૧-૦૦ કલાકે લુણાવાડાના અલગ અલગ લઘુમતી વિસ્તારો જેમકે ગૌષિયા ચોક,વડલા નીચે,મોડાસાફલી,મધવાસ દરવાજા,ત્રણ ફાનુસ,બેડાફલી,કસ્બા,આરામપુરા,પીપલોદવાળી ચાલી,શાકા મેદાન,ડબગરવાસ,મીરા ના ટેકરા,કાછિયાવાડ,જરાતીવાડ,સુથારવાડા,ગઢ મોહલ્લા વગેરે સ્થળે ઉકાળાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા મોટી સંખ્યામાં લોકોએ લાભ મેળવ્યો.મોહદ્દીષે આઝમ મિશન લુણાવાડા ના ઉપપ્રમુખ મો. મિર્ઝા અને સભ્યો દ્વારા આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *