નર્મદા કલેકટરે આગામી ચોમાસાને લઈને 10 નાયબ મામલતદારોની બદલી કરી.

Latest Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

આગામી 15 જૂન થી ચોમાસાની ઋતુની શરૂઆત થવાની હોય જેમાં જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયું છે.ચોમાસામાં તાલુકા જિલ્લા કક્ષાએ અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન શરૂ કરવાના હેતુથી નર્મદા જિલ્લા કલેક્ટર આર.એમ કોઠારીએ વિવિધ જગ્યાઓ પરથી ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરો ચાલુ કરીને નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે.

નર્મદા જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી શાખામાં ફરજ બજાવતા ના.મામલતદાર (1) ભાવેશ.જે.ચાવડાને ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કલેક્ટર કચેરી ખાતે બદલી કરવામાં આવી, (2) અનિલ એસ.વસાવા મહેસુલ તિલકવાડાથી ડેડીયાપાડા એમ.ડી.એમ માં બદલી, (3)વી.યુ.વસાવા મહેસુલ નાંદોદ માંથી ઈ.રી.સે નાંદોદમાં બદલી મહેસુલનો વધારાનો હવાલો (4)મેહુલ.જી.વસાવા મહેસુલ ગરુડેશ્વર માંથી ઈ.રી.સે ગરુડેશ્વર મહેસુલનો વધારાનો હવાલો (5) પી.એન.હાવી ATVT તિલકવાડાથી બદલી કરી ઈ.રી.સે તિલકવાડા મુકાયા (6)આર.જે.ગજ્જર સર્કલ સાગબારાથી ઇ.રિ.સે સાગબારા ખાતે બદલી, (7) સંજય.આર.વસાવા સર્કલ ગરુડેશ્વરથી મહેસુલ તિલકવાડા ખાતે બદલી (8) રાહુલ.એન.નારોલ એમડીએમ ઓડિટ ડેડીયાપાડા માંથી સર્કલ ગરુડેશ્વર ખાતે બદલી, (9)પી.પી.પરમાર NFSA પુરવઠા કચેરી નર્મદામાં થી રા.ચુ.પ નર્મદામાં બદલી (10)જી.આર.વસાવા મહેસુલ ડેડીયાપાડાથી બદલી ઈ.રી.સે ડેડીયાપાડા ખાતે બદલી કરવામાં આવી છે.આમ 10 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી જ્યારે ડિઝાસ્ટર મામલતદાર એમ.એસ.સોલંકીની જગ્યાએ તિલકવાડા મામલતદાર પી.કે ડામોરને વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *