ભરૂચ: અંકલેશ્વરના નાંગલ પાસે ઝાયલો કારની અડફેટે સજોદના મોપેડ ચાલકનું કરુણ મોત

bharuch

ભરૂચના અંકલેશ્વરના નાંગલ પાસે ઝાયલો કારની અડફેટે સજોદ ના મોપેડ ચાલકનું કરુણ મોત નીજવા પામ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર તાલુકા ના સજોદ ગામના જૈન મંદિર ફળિયામાં રહેતા 39 વર્ષીય અશોકભાઈ નટવરભાઈ લીમ્બચીયા પોતાનું મોપેડ લઈને સજોદ થી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા તે દરમ્યાન નાંગલ ગામના પાટિયા પાસે એક ઝાયલો કારના ચાલકે મોપેડ ને અડફેટમાં લેતા અશોક લીમ્બચીયા ને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું અકસ્માતની ઘટના બાદ ઝાયલો કારનો ચાલક ઘટના સ્થળે કાર મૂકીને ફરાર થઇ ગયો હતો.આ અકસ્માત ની જાણ તાલુકા પોલીસ ને થતા પોલીસ દોડી આવી મૃતક અશોક લીમ્બચીયા ના મૃતદેહ ને પોષ્ટ મોર્ટમ અર્થે ખસેડી ફરાર થઈ ગયેલા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *