રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના
ગ્રામ્યકક્ષાએ તલાટી મંત્રી સરકારનો પ્રતિનિધિ છે. સરકારની જુદાજુદા વિભાગોની કામગીરીનો બોજ વહન કરે છે, પરંતુ સરકારની કચેરીઓ સિવાય પણ જે બાબત રેકર્ડ ઉપર ન હોય તેવા દાખલાઓ માંગી બેંક દ્વારા ખેડૂતોને કનડગત કરવામાં આવી રહી છે. બેંક, પીજીવીસીએલ, અન્ય સંસ્થાઓ દ્વારા મનઘડંત દાખલાઓ તલાટી મંત્રી પાસેથી લાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. બેંકમાં ધિરાણ લેવા માટે ખાતામાં વારસાઈ એન્ટ્રી પડી હોય ત્યારે ખાતામાં વારસદારો તરીકે તમામ પુત્ર-પુત્રીઓના નામ દાખલ થયેલ હોય છે ત્યારે બેંક મેનેજરે તમામ ખાતેદારોને તેમની રૂબરૂ બોલાવી હયાતીની ખરાઈ કરવાની હોય છે. તેમને બદલે હૈયાત હોવા અંગે તલાટી મંત્રીનો દાખલો લાવવાનું કહેવામાં આવે છે.
એટલું જ નહીં બેંક દ્વારા આવા વિવિધ પ્રકારના દાખલાઓ તલાટી મંત્રી પાસેથી લાવવાનું કહેવામાં આવે છે જે દાખલાઓ તલાટી મંત્રી પાસેથી લાવવાનું કહેવામાં આવે છે જે દાખલાઓ બાબતે નિયમોમાં ન હોવા છતાં બેંક મેનેજરના મનમાં જેવો તુક્કો આવે તેવા દાખલા માંગવામાં આવે છે તેવી જ રીતે પીજીવીસીએલ પણ ખેતીવાડી વીજ કનેકશન માટે ખેડૂતો પાસેથી ઉંમરના દાખલા, કૂવામાં પૂરતા પાણીનો દાખલો અને આર્થિક સદ્ધરતાના દાખલાઓ તલાટી મંત્રી પાસેથી મંગાવવામાં આવે છે. ચતુઃસીમાનો દાખલો પણ માંગવામાં આવે છે.
તો વળી કેટલાક કિસ્સામાં વિધવા હોવા અંગેનું, પુનઃલગ્ન કરેલ ન હોવાના દાખલાઓ માંગવામાં આવે છે અને ક્યારેક ખોટો દાખલો મેળવવા માંગતા લોકો સાથે ઘર્ષણ થાય છે અને સલામતી પણ જોખમાય છે. આ તો પોતાની જમીન ગીરવે રાખીને લોન માટે બેંકવાળા આટલા હેરાન કરે છે તો આત્મનિર્ભર સહાય યોજનામાં લોકો કેટલા હેરાન થશે એની કોઈ સીમા નહીં રહે.